બોલીવૂડના મોસ્ટ ફેવરિટ કપલ એશ્વર્યા અને અભિષેક બચ્ચનની કેમિસ્ટ્રી દરેકને પસંદ આવે છે. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે પરંતુ અભિષેક રોજ સૂતા પહેલા પત્નીની માફી માંગતો હતો.
ઐશ્વર્યાની માફી માંગતો હતો અભિષેક
રોજ સૂતા પહેલા કેમ સોરી કહેતો હતો એક્ટર?
ઇન્ટરવ્યૂમાં સંભળાવ્યો જોરદાર કિસ્સો
ઇન્ટરવ્યૂમાં સંભળાવ્યો જોરદાર કિસ્સો
થોડા વર્ષો પહેલા એશ્વર્યા અને અભિશેકે એક ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો સંભળાવ્યો હતો. લગ્નના રાઝ ખોલ્યા હતા અને દર્શકોને પણ આ કિસ્સો જાણીને મજા આવી હતી.
ઐશ્વર્યાએ ઝઘડાની વાત સ્વીકારી લીધી હતી
આ વાતચીતમાં કપલે કબૂલ્યું હતું કે સામાન્ય કપલની જેમ તેઓ ઘણી વખત ઝઘડો પણ કરતા હતા. ઐશ્વર્યાએ પણ આ બાબતે હા પાડી હતી કે તે અને અભિષેક નાની નાની વાત પર લડતા હતા. તેણે કહ્યું કે તે મતભેદ હતો, ઝઘડો નહીં. કારણ કે જો ઝઘડા ન હોત તો જીવન કંટાળાજનક બની જાય
શા માટે અભિષેકે માફી માંગી
આ ઇન્ટરવ્યૂમાં અભિષેકે તેના લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવાનું એક રમુજી રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે અમે સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે લડ્યા પછી સૂઈશું નહીં. તેથી જ તે દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસની દરેક ભૂલની માફી માંગતો હતો. જેના પર અભિષેકે કહ્યું, 'મહિલાઓ પોતાની ભૂલો સ્વીકારતી નથી, તેથી મોટાભાગની લડાઈમાં તેઓ માફી માગતા હતા.'