પંજાબની મુલાકાતે ગયેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સીએમ કોઈ શીખ હશે.
કોંગ્રેસના અસંતુષ્ટ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર આમ આદમી પાર્ટીની નજર
પંજાબ ગયેલા અરવિંદ કેજરીવાલના નિવેદનથી અટકળો વહેતી થઈ
કેજરીવાલે જણાવ્યું પંજાબમાં શીખ સીએમ હશે, જેની પર થશે બધાને ગર્વ
અરવિંદ કેજરીવાલ પંજાબની મુલાકાતે, સિદ્ધુ પર આપ્યુ મહત્વનું નિવેદન
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ પ્રદેશમાં તેની ગતિવિધિઓ વધારી છે. સોમવારે અરવિંદ કેજરીવાલ પંજાબની મુલાકાતે ગયા હતા. કેજરીવાલે અહીં સિદ્ધુ પર જે નિવેદન આપ્યું તેનાથી ચર્ચાનું બજાર ગરમ બન્યું છે. કેજરીવાલના નિવેદન બાદ અટકળો વહેતી થઈ કે કોંગ્રેસના અસંતુષ્ટ નેતા નવજોત સિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
Punjab, Amritsar | Former IG Kunwar Vijay Pratap joins Aam Aadmi Party, in the presence of Delhi CM and party leader Arvind Kejriwal. pic.twitter.com/Q95pfrOLbN
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ઉમેદવાર કોઈ શીખ હશે-કેજરીવાલ
અમૃતસરમાં મીડિયાને સંબોધિત કરા કેજરીવાલે જણાવ્યું કે પંજાબમા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ઉમેદવાર કોઈ શીખ હશે જેની પર આખા પંજાબને ગર્વ હોય. શું આમ આદમી પાર્ટીની નજર નવજોત સિદ્ધુની ઉપર છે તેવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કેજરીવાલે કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા છે અને હું તેમનું ઘણું સન્માન કરુ છું. કેજરીવાલે કહ્યું કે જો સિદ્ધુના આપમાં સામેલ થવાની દિશામાં કંઈક થાય તો તે જરુરથી જાણ કરશે.
પૂર્વ આઈજી વિજય પ્રતાપ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા
અમૃતસરમાં પૂર્વ આઈજી વિજય પ્રતાપ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. આ પ્રસંગે કેજરીવાલે જણાવ્યું કે કુંવર વિજય પ્રતાપ રાજનેતા નથી.તેમને આમ આદમીના પોલીસવાળા ગણવામાં આવે છે. આપણે બધા અહીં દેશસેવા કરવા માટે છીએ. આ ભાવનાથી તેમણે આમ આદમી પાર્ટીનો હાથ ઝાલ્યો છે. હું લોકોને ભરોસો આપવા માંગું છું કે બરગાડીમાં ગુરુગ્રંથ સાહેબનું અપમાન કેસમાં દોષીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ કેસમાં ન્યાય થશે.