દર વખતે લઘુમતી સમાજને 100 ટકા મતદાન કરવાનું કહેવામાં આવે છે, શું બધી બેઠકો જીતાડવાનો અમે જ ઠેકો લીધો છે: ગ્યાસુદ્દીન શેખ
ગ્યાસુદ્દીન શેખના કોંગ્રેસના નેતાઓ પર જ ચાબખા
કહ્યું તમારા સમાજના લોકો જ તમને મત કેમ નથી આપતા
AAPની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર?
ત્રણ ધારાસભ્યોને AAPમાંથી આમંત્રણ!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરી હશે તે વાત નક્કી છે કારણ કે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ભાજપ કોંગ્રેસ બંનેની ગણિત બગડયું છે. આ સાથે જ ગુજરાતમાં નેતાઓના હેરાફેરીની એટલે પક્ષપલટાની પણ મોસમ પુરજોશમાં ચાલી રહી છે. પાર્ટીઓ ચૂંટણી પહેલા સારા સેનાપતિઓ વીણી વીણીને લઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ અને આપ પાર્ટી બાદ હવે છેલ્લે ઈલેક્શન મોડ ઑન કર્યો છે.
મુસ્લિમ સમાજ પર નિર્ભર ન રહો: ગ્યાસુદ્દીન શેખ
તેવામાં અમદાવાદમાં કોંગ્રેસનું સદભાવના સંમેલન યોજાયું હતું.સંમેલનમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના કોંગ્રેસના નેતાઓ પર ચાબખા માર્યા હતા. અને કહ્યું હતું કે દર વખતે લઘુમતી સમાજને 100 ટકા મતદાન કરવાનું કહેવામાં આવે છે. શું બધી બેઠકો જીતાડવાનો અમે જ ઠેકો લીધો છે. તમે જે સમાજમાંથી આવો છો તે લોકો તમને મત આપે છે? તમારા સમાજના લોકો જ તમને મત આપતા તે વિચારવા જેવી બાબત કહી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા હતા. વધુમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે જ્યારે આપવાની વાત આવે ત્યારે અમારે જ આપવાનું? ધારાસભ્યો ગ્રાન્ટ નથી વાપરતા, તેમણે ગ્રાન્ટ વાપરવી પડશે.
કોંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્યોને AAP તરફથી આમંત્રણ મળ્યું: ગ્યાસુદ્દીન શેખ
તો બીજી તરફ અન્ય એક મોટો ઘડાકો પણ નિવેદન દરમિયાન કર્યો હતો. આમ આદમી પાર્ટીને લઈને ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો હતો કે કોંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્યોને AAP તરફથી આમંત્રણ મળ્યું છે. પોતાનું નામ લેતા કહ્યું હતું કે મને એટલે કે ગ્યાસુદ્દીન શેખને, ઈમરાન ખેડાવાલા અને જાવેદ પીરજાદાને પણ AAP પાર્ટીએ આમંત્રણ આપ્યું હતું. ગ્યાસુદ્દીન શેખના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસ સહિત સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. હજુ સુધી આપ પાર્ટી દ્વારા આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.