દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સોમવારે પોતાનું નામાંકન (Nomination) દાખલ ન કરી શક્યા. નામાંકન દાખલ કરવા માટે ત્રણ વાગ્યા સુધી ચૂંટણી અધિકારીના કાર્યાલયે પહોંચવાનું હોય છે. પરંતુ અરવિંદ કેજરીવાલ પોતાનો રોડ શો પૂર્ણ ન કરી શક્યા જેના કારણે હવે તેઓ મંગળવારે નામાંકન દાખલ કરી શકશે.
અરવિંદ કેજરીવાલ પોતાના રોડ શોને કારણે લેટ પડવાથી મંગળવારે નામાંકન દાખલ કરશે
અરવિંદ કેજરીવાલે નામાંકન દાખલ કરતા પહેલા માતાના આશીર્વાદ લીધા
આવતા પાંચ વર્ષોમાં દિલ્હીને દુનિયાનું નંબર વન શહેર બનાવીશું: કેજરીવાલ
મોડા પહોંચવા પર મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મારે આજે બપોરે 3 વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરવાનું હતું પરંતુ બપોરે 3 વાગ્યે કાર્યાલય બંધ થઇ ગયું. મને જણાવવામાં આવ્યું કે, મારે નામાંકન દાખલ કરવું પડશે પરંતુ હું તેમને (રોડ શોમાં હાજર લોકોને) કેવી રીતે છોડી શકું છું? હું કાલે નામાંકન દાખલ કરવા જઇશ.
નીકળતા પહેલા માતાના લીધા આશીર્વાદ
દિલ્હીના મુખ્યમંત્રીએ વિધાનસભા ચૂંટણીમાં નામાંકન દાખલ કરવા માટે નીકળતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લીધા હતા. પોતાના રોડ-શોની શરૂઆત તેઓએ વાલ્મિકી મંદિરમાં દર્શન-પૂજા કરીને કરી હતી.
આપ સમર્થકો ચૂંટણી ચિન્હ 'ઝાડુ' લઇને ચાલી રહ્યા હતા
સોમવારે બપોરે તેઓ પાર્ટી કાર્યકર્તાઓની સાથે રોડ શોના રૂપે ઘરેથી નામાંકન દાખલ કરવા નીકળ્યા. તેમની સાથે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને વરિષ્ઠ નેતા સંજય સિંહ તથા સીએમના પરિવારના લોકો પણ તેમની સાથે હતા. રસ્તામાં પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'ઝાડુ' લઇને સમર્થકો તેમની સાથે રોડ શોમાં જોડાતા ગયા. આ દરમિયાન સમર્થકો 'અચ્છે બિતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ' ના નારા સાથે ચાલી રહ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેમના કાફલાને નામાંકન સ્થળ સુધી પહોંચવામાં મોડુ થઇ ગયું.
અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે 'આપનો આટલો પ્રેમ જોઇને દિવસ-રાત કામ કરવાની તાકાત મળે છે. આપણા 2 કરોડ દિલ્હીવાસીઓના પરિવારને સાથે લઇને આવતા પાંચ વર્ષોમાં દિલ્હીને દુનિયાનું નંબર વન શહેર બનાવીશું. તેઓએ કહ્યું કે, દિલ્હીની જનતા તેમનો પરિવાર છે અને તેઓ તેમના માટે કામ કરી રહ્યા છે.