બિહારના ખગડિયા જિલ્લામાંથી વર્ષ 2016માં 15 વર્ષનો દિવ્યાંગ બાળક ગુમ થયો હતો. 28 નવેમ્બર 2016ના રોજ તે નાગપુર રેલવે સ્ટેશન પર મળ્યો હતો. જેને રેલવે અધિકારીઓએ નાગપુરમાં વરિષ્ઠ યુવકોના સરકારી અનાથ આશ્રમને સોંપી દીધો હતો.
આધારની તાકાતનો વધુ એક પુરાવો મળ્યો
2016માં ગુમ થયેલા કિશોરનુ પરિવાર સાથે થયુ મિલન
2016માં પરિવારથી વિખૂટો પડ્યો હતો આ કિશોર
આધારે ગુમ થયેલા કિશોરને પરિવાર સાથે મળાવ્યો
જ્યારે તે આધાર કાર્ડ બનાવવા માટે પહોંચ્યો તો જાણકારી સામે આવી. આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી જરૂરી દસ્તાવેજોમાંથી એક છે. જેના વગર બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઇને સરકારી યોજનાઓનો લાભ લેવામાં પરેશાની ભોગવવી પડે છે. પરંતુ હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં આધારે એક ગુમ થયેલા કિશોરને તેના પરિવાર સાથે મેળવવામાં મદદ કરી છે. એક 21 વર્ષીય દિવ્યાંગ યુવક છ વર્ષ સુધી લાપતા રહ્યાં બાદ પોતાના પરિવારને પાછો મળ્યો છે. એક પરિવારના ગુમ થયેલા સભ્યને પરિવાર સાથે મળાવવામાં આધાર કાર્ડે ફરી એક વખત મહત્વની ભૂમિકા નિભાવી છે.
2016માં પરિવારથી વિખૂટો પડ્યો હતો
બિહારના ખગડિયા જિલ્લામાંથી વર્ષ 2016માં 15 વર્ષનો દિવ્યાંગ બાળક ગુમ થયો હતો. 28 નવેમ્બર 2016ના રોજ તે નાગપુર રેલવે સ્ટેશન પર મળ્યો હતો. જેને રેલવે અધિકારીઓએ નાગપુરમાં વરિષ્ઠ યુવકોના સરકારી અનાથ આશ્રમને સોંપી દીધો હતો. આ બાળકનુ નામ પ્રેમ રમેશ ઈંગલે રાખવામાં આવ્યું હતુ. અનાથ આશ્રમના અધિક્ષક અને પરામર્શદાતા વિનોદ ડાબેરાવે જુલાઈ 2022માં પ્રેમ રમેશ ઈંગલેના આધાર રજીસ્ટ્રેશન માટે નાગપુર આધાર સેવા કેન્દ્ર પહોંચ્યાં. પરંતુ પ્રેમ રમેશનુ આધાર બનાવી શકાતુ ન હતુ. કારણકે તેના બાયોમેટ્રીક્સ વધુ એક આધાર કાર્ડ સાથે મેચ ખાતા હતા.
#आधार ने 21 साल के दिव्यांग युवक को परिवार से वापस मिलाया, युवक 6 साल से लापता था।#बिहार के #खगड़िया जिले से 2016 से लापता दिव्यांग युवक (बोलने और सुनने की अक्षमता) की पहचान, आधार के जरिये 2022 में #महाराष्ट्र के #नागपुर में हुई।