હાલમાં UIDAIએ આધાર સાથે જોડાયેલી એક સર્વિસ આધારને રીપ્રિન્ટ કરવાનું બંધ કર્યું છે. તેની જાણકારી તેણે યૂઝર્સને ટ્વિટર પર આપી છે.
UIDAIએ આપી છે જાણકારી
બંધ થઈ આધાર કાર્ડ સાથે જોડાયેલી આ સર્વિસ
UIDAIએ આધારને રીપ્રિન્ટ કરવાનું બંધ કર્યું છે
Aadhaar Card હાલમાં દરેક વ્યક્તિને માટે એક મહત્વનું ડોક્યુમેન્ટ બન્યું છે. આ સમયે આધાર વિના અને આધારમાં ભૂલ હોય તો તેના કારણે તમારા અનેક કામ રોકાઈ શકે છે. લોકો મુશ્કેલીને ઘટાડવા અને સાથે સારી સુવિધા મેળવવા માટે આધાર કાર્ડ બનાવતી સંસ્થા Unique Identification Authority of India (UIDAI) પર આધાર રાખી રહી છે. આ કારણે તમારે એ જાણી લેવું જરૂરી છે કે UIDAI કયા નિર્ણયો લઈ રહી છે અને તેનાથી તમારા પર શું અસર થશે. હાલમાં UIDAIએ આધાર સાથે જોડાયેલી એક સર્વિસને બંધ કરી છે. તેની જાણકારી તેણે યૂઝર્સને ટ્વિટર પર આપી છે.
કઈ સર્વિસને કરી છે બંધ
UIDAIએ હવે જૂના અને લાંબા આધાર કાર્ડને રિપ્રિન્ટ કરવાની સુવિધા બંધ કરી છે. પહેલા આધાર કાર્ડને રિપ્રિન્ટ કરવાનું ફોર્મેટ અલગ હતુ તેને બદલી દેવાયું છે. UIDAI હવે PVC આધાર કાર્ડ જાહેર કરી રહી છે. જેની સાઈઝ ડેબિટ કાર્ડ જેટલી નાની હોય છે અને તમે તેને પર્સમાં કે ખિસ્સામાં સરળતાથી રાખી શકો છો. ઉલ્લેખનીય છે કે જે આધાર કાર્ડને પ્રિન્ટ કરવાનું બંધ કરાયું છે તેની સાઈઝ ખૂબ જ મોટી રહેતી હતી.
UIDAIએ ટ્વિટમાં આપી છે આ જાણકારી
તેઓએ કહ્યું છે કે હવેથી સાઈટ પર આધાર રિપ્રિન્ટનું ઓપ્શન દેખાશે નહીં. આ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. તમે ઓનલાઈન માધ્યમથી આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જો તમે આધારને ફ્લેક્સિબલ પેપર ફોર્મેટમાં રાખવા ઈચ્છો છો તો તમે ઈ આધારની પ્રિન્ટ કાઢી શકો છો.