દિલ્હી વિધાનસભામાં સુરંગ જેવી એક સંરચના મળી આવી છે.
દિલ્હી વિધાનસભા નીચે મળી સુરંગ
લાલ કિલ્લા સુધી છે આ ગુપ્ત રસ્તો
રામનિવાસ ગોયેલે આપી માહિતી
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યું કે આ ગુપ્ત સુરંગ વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડે છે અને સ્વતંત્રતા સેનાનીઓની અવર-જવરના સમયે અંગ્રેજો દ્વારા લોકોના ગુસ્સાથી બચવા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું કે 'જ્યારે હું 1993માં વિધાયક બન્યો ત્યારે અહીં હાજર આ સુરંગ વિશે એક અફવા ઊડી કે આ સુરંગ લાલ કિલ્લા સુધી જાય છે અને મેં તેના ઇતિહાસની શોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ બાબત પર કોઇ સ્પષ્ટતા નહોતી.
A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. "It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters," said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69
સુરંગનો દ્વાર મળી ગયો..
સ્પીકર રામ નિવાસ ગોયેલે જણાવ્યું કે ' હવે આપણને સુરંગનો દ્વાર મળ્યો હતો પરંતુ આપણે તેને વધુ આગળ ખોદી નહીં શકીએ કારણકે મેટ્રો પ્રોજેક્ટ્સ અને ગટર સ્થાપનના કારણે સુરંગના તમામ રસ્તાઓ નષ્ટ થઇ ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે જે ભવનમાં હાલ દિલ્હી વિધાનસભા છે તેનો 1912માં દેશની રાજધાની કોલકત્તામાંથી દિલ્હીમાં પરિવર્તિત કર્યા પછી કેન્દ્રીય વિધાનસભાના રૂપે વપરાશ થતો હતો. ત્યારબાદ 1926માં તેને એક અદાલતમાં બદલી દેવાયું. તે સમયે અંગ્રજો સ્વતંત્ર સેનાનીયોને અદાલતમાં લાવવા આ સુરંગનો ઉપયોગ કરતાં હતા.
સ્પીકર રામનિવાસ ગોયેલે કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે અહીં ફાંસી આપવાનો રૂમ આવેલો છે પરંતુ તેને કદી ખોલવામાં આવ્યો નહતો. હવે આઝાદીનો 75મો વર્ષ ચાલી રહ્યો છે ત્યારે મેં તે રૂમનું નિરિક્ષણ કરવાનો નિર્ણય કર્યો. અમે આ રૂમને સ્વતંત્રતા સેનાનીયોનાં મંદિરમાં બદલવા ઇચ્છીએ છીએ જેથી તેઓને શ્રદ્ધાંજલી આપી શકાય.
તેમણે કહ્યું કે દેશની આઝાદી સાથે જોડાયેલા દિલ્હી વિધાનસભાના ઇતિહાસને ધ્યાનમાં લઇને તેમનો ઇરાદો આવતાં સ્વતંત્રતા દિવસ સુધી પર્યટકો માટે ફાંસીનો રૂમ ખોલવાનો છે જેના માટેના કામ શરૂ થઇ ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં આ જગ્યાનો ખુબ સમૃદ્ધ ઇતિહાસ છે. અમે તેને એવીરીતે પુનર્નિર્મિત કરવાનો વિચાર કરી રહ્યા છે જેનાથી પર્યટકો અને મુલાકાતીઓ આપણા ઇતિહાસનું પ્રતિબિંબ મેળવી શકે.