રાજસ્થાનના જેસલમેરથી 14 કિમી દૂર આવેલું કુલધરા ગામ ખુબજ સુંદર છે, પરંતુ હાલ તે ઉજ્જડ પડ્યું છે કારણ કે 200 વર્ષ પહેલા અહીં રહેતા લોકો રાતોરાત ગામ છોડીને જતા રહ્યા હતા.
કુલધરા ગામ છેલ્લા ૨૦૦ વર્ષથી વેરાન પડ્યું છે
આ ગામમાંથી રજવાડાને સૌથી વધુ આવક થતી હતી
આજે પણ જેસલમેરમાં હાજર સલીમસિંહની હવેલી
ભારતની રહસ્યમય જગ્યામાં કુલધારા ગામનું પણ નામ
ભારતના સૌથી રહસ્યમય ગામોમાંથી એક રાજસ્થાનની કુલધરાનું નામ ટોચ પર આવે છે, જે જેસલમેરથી 14 કિલોમીટર દૂર છે. કુલધરા ગામ છેલ્લા ૨૦૦ વર્ષથી વેરાન પડ્યું છે. રણ ક્ષેત્રમાં આવેલું કુલધરા ગામ ખુબ સુંદર છે, પરંતુ અહીં રહેતા તમામ લોકો 200 વર્ષ પહેલા રાતોરાત પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયા હતા અને ક્યારેય પાછા આવ્યા નહોતા.
હાલ આ ગામ પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ
200 વર્ષ પહેલા કુલધરા ગામમાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા અને આ ગામ જેસલમેર રજવાડાના સૌથી સુખી ગામોમાંનું એક ગામ હતું. આ ગામમાંથી રજવાડાને સૌથી વધુ આવક થતી હતી, કારણ કે અહીં અનેક પ્રકારના તહેવારો, પરંપરાગત નૃત્યો અને સંગીત મહોત્સવો થતા હતા. જો કે હાલ આ ગામ પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે.
લોકોએ રાતોરાત કુલધારા ગામ કેમ છોડી દીધું ?
રીપોર્ટ મુજબ અહી ગામમાં એક છોકરીના લગ્ન થવાના હતા, જે ખુબ જ સ્વરૂપવાન હતી. તે દરમિયાન જેસલમેર રજવાડાના દિવાન સલીમ સિંહની નજર તે યુવતી પર પડી અને તેની સુંદરતા જોઈને તેણે યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સલીમ સિંહ એક જુલમી વ્યક્તિ હોવાનું કહેવાય છે અને તેની ક્રૂરતાની વાર્તાઓ દૂર-દૂર સુધી પ્રખ્યાત હતી. જેથી કુલધરા ગામના લોકોએ યુવતી ના લગ્ન સલીમસિંહ સાથે કરવાની ના પાડી દીધી હતી.
સલીમ સિંહથી ડરીને લોકોએ ગામ છોડી દીધું
લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકાર્યા બાદ સલીમ સિંહે ગામના લોકોને વિચારવા માટે થોડા દિવસનો સમય આપ્યો, પરંતુ તે પછી પણ તેઓ તૈયાર નહોતા. જો કે ગ્રામજનોને ખબર હતી કે સલીમસિંહ તેની વાત નહીં માને તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે અને તે આખા ગામમાં હત્યાકાંડ કરી દેશે. આ પછી, ગામના લોકોએ તેમની પુત્રી અને તેમના ગામની ઇજ્જત બચાવવા માટે કુલધારા ગામને કાયમ માટે છોડી દેવાનું નક્કી કર્યું.
લોકો પોતાનો સામાન લઈને ગામ છોડીને જતા રહ્યા
ગામના ચોરે પંચાયત બોલાવ્યા પછી તમામ ગ્રામજનોએ એક સાથે કુલધરા ગામ છોડવાનું નક્કી કર્યું હતું અને પોતાનો બધો જ સામાન, ઢોરઢાંખર, અનાજ અને કપડાં લઈને રાતોરાત ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા હતા. એ પછી કોઈ પાછું આવ્યું નથી.
જેસલમેરમાં આજે પણ સલીમ સિંહની હવેલી આવેલી છે
જેસલમેર રજવાડાના દિવાન સલીમસિંહની હવેલી આજે પણ જેસલમેરમાં હાજર છે, પરંતુ તેને જોવા માટે કોઈ જતું નથી. સાથે જ કુલધરા ગામમાં બનેલા પથ્થરના મકાનો પણ ધીરે ધીરે ખંડર બની ગયા છે.