દુનિયામાં જો સૌથી વધારે બાળકોને કોઇ પ્રેમ કરે તો તે મા હોય છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરાએ જ માતાની નિર્દયતાથી હત્યા કરી દીધી છે.
દીકરાએ જ માતાની કરી દીધી હત્યા
માતાના શરીરના 11 ટુકડા કરી દીધા
ભગવાનના કહેવા પર કરી દીધી હત્યા
માતાના શરીરના 11 ટુકડા કર્યા
41 વર્ષીય અર્નેસ્ટ ગ્રુસ્ઝાએ પોતાની 59 વર્ષીય માતા વિસ્લાવાની હત્યા કરી દીધી અને લાશના ટુકડા કરી દીધા હતા. ધરપકડ બાદ તેણે પોતાની માતાની લાશના ટુકડા પોલીસને બતાવ્યા હતા. પોલીસ પણ આ જોઇને દંગ રહી ગઇ હતી.
ફ્રીજ અને કબાટમાં રાખ્યા લાશના ટુકડા
આરોપીએ પોતાની માતાની હત્યા બાદ શરીરના કેટલાક ટુકડા ફ્રીજમાં અને કેટલાક ટુકડા કબાટમાં રાખ્યા હતા. ધડ અને માથુ અલગ કરી દીધુ હતુ અને તેણે ક્લિંગફિલ્મમાં લપેટીને કબાટ અને ફ્રીજમાં લાશને ગોઠવી દીધી હતી.
શેતાન સમજતો હતો માતાને
જ્યારે પોલીસે આરોપી સાથે પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે, તેની માતા શેતાન હતી અને ભગવાને તેને આવું કરવા માટે કહ્યું હતું. પોલીસે જ્યારે તેને કોર્ટમાં રજૂ કર્યો તો જજ સામે તેણે કહ્યું કે, જો તે પોતાની મૃત માતાના શરીર પર પવિત્ર પાણી અને લોહી નાંખશે તો તે ફરીથી જીવતી થઇ જશે.
માનસિક સ્વાસ્થ્ય સારુ નહી
કોર્ટે હત્યાના આરોપીનો સ્વભાવ જાણવા માટે કેટલાક સાક્ષીને બોલાવ્યા ત્યારે લોકોએ કહ્યું કે, તે ખુબ શાંત સ્વભાવનો હતો પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નહોતું, જેના કારણે જ તેણે આ ખૌફનાક પગલું ઉઠાવ્યું હશે.
કોર્ટે સંભળાવી સજા
એક રિપોર્ટ અનુસાર સુનાવણી બાદ જજે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે પરંતુ તેની માનસિક હાલતને જોતા તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. બની શકે કે તેને હોસ્પિટલમાં જ રહીને સજા ભોગવવી પડે.