કચ્છમાં અમદાવાદની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ યુવાને આપઘાત કરી લેતા પોલીસે સમગ્ર મામલે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ ઉઠતા ચકચાર
ભુજનાં સેડાતા પાસે ખાનગી રિસોર્ટમાં દુષ્કર્મની ઘટના
અમદાવાદની યુવતીએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ
કચ્છમાં દુષ્કર્મ અને આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કચ્છના ભુજમાં સેડાતા પાસે આવેલ રિસોર્ટમાં અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની રાવ સાથે યુવતીએ ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી ગયો છે. મહત્વનું છે જે યુવાન સામે કુકર્મના આક્ષેપો લાગી રહ્યા છે તે યુવાને આપઘાત કરી લેતા આ ઘટનામાં રહસ્યના તાણાવાણા સર્જાયા છે.
અમદાવાદની યુવતીએ પોતાના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની દિલીપ આહિર નામના યુવક સામે ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં પોલીસ સત્યતા મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન દુષ્કર્મનો આરોપ છે તે દિલીપ આહિર નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા નવો વળાક આવ્યો છે. બીજી બાજુ દુષ્કર્મ પીડિતા જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલે માનકુવા પોલીસે ઘટનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.