માલધારી સમાજનું શેરથામાં મહાસંમેલનમાં યોજાયું, ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા માગ, 11 ઠરાવો કરવામાં આવ્યા
માલધારી સમાજનું મહાસમ્મેલન
શેરથામાં યોજાયું મહાસમ્મેલન
પડતર માંગોને લઈ યોજાયુ સમ્મેલન
વિવિધ માગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલદારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. માલધારી વેદના સમ્મેલનમાં 20 કરતા વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતા પણ વધુ મંદિરના ભૂવા, 17 કરતા પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલદારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સભામાં હાજર રહ્યા હતા. સભામાં માલધારી સમાજ આકરા પાણીએ જોવા મળ્યો હતો. પોતાની માગણીઓને લઈ તેમજ તકલીફને લઈ માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો.
વિધાનસભા ઘેરાવની ચીમકી
માલધારી સમાજની કુલ 14 માગણીઓ છે જેને લઈને માલધારી સમાજ કેટલાક સમયથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. તેવામાં સરકારે વધુ એક કાયદો લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી. જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય.
ઢોર નિયત્રણ બિલ રદ્દ કરવા માંગ
માલધારી સમાજની કુલ 14 માગણીઓ છે, જેમાથી મુખ્ય માગણી 2022માં લાવવામાં આવેલુ ગુજરાત ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવું. તેમજ માલધીર વસાહતો બનાવી પશુ અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી. ઢોર પકડવા નિકળતી ટીમ માલધારીઓની બેન- દિકરીઓ પર ખોટા પોલીસ કેસ કરવાનું બંધ કરે. વ્યવસ્થા અને પશુ માટે આયોજન કર્યા વગર શહેરી કરણ બંધ કરવામાં આવે. માલધારીઓના નિવાસ, વાડા અને તબેલામાંથી પશુઓ ઝુંટવવાનું બંધ કરવામાં આવે. ગૌચર જમીન પચાવી પાડવાનું બંધ કરી, ગૌચર જમીન ફાડવવામાં આવે. ડબ્બાઓમાં પુરાએલી ગાયોને દંડ લઈને છોડી મુકવાના કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. માલધારી સમાજ ગાયો રસ્તા પર છુટી મુકે છે તેવો પ્રચાર બંધ કરવામાં આવે. શહેરી વિસ્તારમાં જાહેરમાં ઘાસ ચારો વેચવાનો બંધ કરાવામાં આવ્યો તે કાયદો રદ્દ કરવામાં આવે જેથી માલધારી રોજી-રોટી કમાઈ શકે. આવી વિવિધ માંગોને લઈ માલધારી સમાજે સમ્મેલન કરી રહ્યા છે અને જો આવનાર સમયમાં સરકાર માંગ નહી સ્વિકારે તો ગાંધીનગર ઘેરીને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
મહાસંમેલનમાં 11 ઠરાવ કર્યા પસાર
સમાજના આગેવાનો માલદારી સમાજમાં આક્રોશનું કારણ સરકાર દ્વારા અપનાવામાં આવતી બે ધારી નીતીને ગણાવી રહ્યા છે. જેમાં સરકાર વિવિધ રીતે જાણે માલધારી સમાજને હેરાન કરવા માગતી હોય તેવુ માલદારી સમાજને લાગી રહ્યુ છે. માલધારી સમાજનો આરોપ છે કે, સરકારની નીતિથી માલધારી સમાજને અન્યાય થાય છે. લાવવામાં આવેલા બિલની 29 કલમો ખુબ જ ખતરનાક હોવાનો આરોપ છે. જેનાથી માલધારી સમાજને રોજગારી મળવી પણ મુશ્કેલ છે. ઢોર પકડવા આવનાર ટીમ બાંધેલા ઢોરને પણ પકડીને લઈ જાય છે. પકડી ગયા બાદ ડબ્બામાં ગાય ભૂખે મોતને ભેટે છે . જ્યારે માલધારીના ઘરે રહેલા ગાયના બચ્ચા દુધ વગર મૃત્યુ પામે છે. તેથી આવા કાયદાઓથી માલધારી સમાજને અન્યાય થાય છે. જેથી માલધારી સમાજમાં આ રોષ સમ્મેલનો દ્વારા બહાર આવી રહ્યો છે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ.
21 તારીખે માલધારીઓ નહીં ભરાવે દૂધ
માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી. જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ મંચ પરથી એક દિવસ માલદારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેંચવાની જાહેરાત કરી હતી. હાલતો માલધારી સમાજ પોતાની પડતર માગોને લઈ મેદાને છે. અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછુ ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.