આજે ગાંધીનગરમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દહેગામથી ગાંધીનગર સુધી ખેડૂતોની રેલી યોજશે.
ગાંધીનગરમાં ખેડૂતોની રેલી
દહેગામથી ગાંધીનગર સુધી રેલી
વિવિધ માંગણીને લઇ રેલી
દહેગામથી ગાંધીનગર સુધી ખેડૂતોની રેલી
છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો ખેતી માટે આઠ કલાક વીજળીની માંગને લઈ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેતી માટે આઠ કલાક વીજળી નહીં આપતા ખેડૂતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસના 10 ધારાસભ્યો વિધાનસભા ગેટ આગળ વિરોધમાં બેઠા
રાજ્યમાં સિંચાઇ માટે વીજળીને લઇ પરેશાની યથાવત રહેવા પામી છે. સરકારે વાયદો કર્યા બાદ પણ વીજળી નથી મળી રહી માંડ 6 કલાક વીજળી મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. મહત્વનું છે કે, વીજ કાપ બાબતે કોંગ્રેસના ધારાસભ્યોનો ફરી વિરોધ કર્યો હતો. જેમાં પુંજા વંશ, ભીખા જોશી, શિવાભાઇ ભુરિયા,લલિત વસોયા, રઘુ દેસાઇ, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો વિરોધમાં બેઠા હતાં.
વિવિધ માંગણીઓને લઇ રેલીનું આયોજન કરાયું
ત્યારે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેતીની વિવિધ પડતર માંગણીઓને લઇ ખેડૂતોઓએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેતીની વીજળી 8 કલાક જૂના સમય પ્રમાણે આપવાની માંગ કરવામાં આવી છે. ખેતીની ઉપજના મોંઘવારી અનુસંધાને ભાવ, ખાતર પેસ્ટીસાઇઝમાં GST બંધ કરવામાં આવે, ખેતી વિષયક વીજ મીટર હટાવી સમાન વીજદર કરવા, સરકારની ઘાતક નીતિઓથી ખેતીને નુકસાન થવાના આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા છે. સરકાર 8 કલાકની જગ્યાએ 6 કલાક વીજળી આપવાનો તખ્તો ઘડી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં રેલીનું આયોજન કરાયુંઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે તેવા ખેડુતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. હાલ સિચાઈ માટેના પાણીની ખાસ જરૂર છે, પરંતુ વીજળીના ધાંધિયાને કારણે ખેડુતો બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં સિંચાઈ કરી શક્તા નથી. ખેતી માટે આઠ કલાક વીજળી નહી આપતા ખેડુતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. આમ ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં 25મી માર્ચને શુક્રવારે એટલે કે, ટ્રેક્ટર રેલીનું આયોજન સવારે 9થી 11 કલાક દરમિયાન કરવામાં આવશે.