વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણીને ભૂલથી પણ સળગાવવી એ લક્ષ્મીજીના અપમાન બરોબર છે આ ઉપરાંત ક્યારેય સાવરણીને મુખ્ય પ્રવેશદ્વારની સામે દેખાય તે રીતે ન રાખવી જોઈએ. જ્યારે પણ સાવરણીનો કોઈ ઉપયોગ ન હોય ત્યારે તેને એવી જગ્યાએ રાખવી કે જ્યાં કોઈપણ ની નજર ન જાય.
સામાન્ય રીતે સાવરણીને ઉત્તર દિશામાં છુપાવીને રાખવી જોઈએ. જ્યારે પણ ઘરમાં મના ઝાડૂ કે સાવરણીનો ઉપયોગ શરૂ કરો ત્યારે શનિવારે કરો. આમ કરવાથી ઘરમાં હમેંશા લક્ષ્મી રહે છે.
ઘરમાં ઘસાઈ ગયેલા ઝાડૂ કે સાવરણીને સ્થાન ન આપવું. તેનાથી પણ બદકિસ્મતી આવે છે. ઘસાઈ ગયેલું ઝાડૂ ઘર બહાર મૂકો કે પછી તેનો નિકાલ કરી દો. ઘરમાં રાખવું યોગ્ય નથી. ઝાડૂ કે સાવરણીને ક્યારેય ઠેકવી જોઈએ નહિં આમ કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સાવરણીને ભૂલથી પણ ક્યારેય ડાઇનીંગ હોલમાં ન રાખવી જોઈએ એવી માન્યતા છે કે ડાયનિંગ ગૂગલમાં સાવરણી રાખવાથી પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સાવરણીને કોઈ દિવસ બેડરૂમમાં કે ઘરના મંદિરની અંદર ન રાખવી જોઈએ બેડરૂમમાં સાવલી રાખવાથી વૈવાહિક જીવનની અંદર તણાવ ઉત્પન્ન થાય છે
ઘરમાંથી જ્યારે કોઈપણ સભ્ય બહાર જતો હોય ત્યારે તેની પાછળ થી તરત ક્યારેય સાવરણી ન ફેરવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બહાર ગયેલા વ્યક્તિના કામમાં અડચણ ઊભી થાય છે.