કેથેડ્રલ ચર્ચમાં આગળની વિશાળ જ્વાળાઓ જોવા મલી. ફ્રાન્સના મશૂહર ચર્ચ નોટ્ર-ડામ કેથેડ્રલમાં સોમવારે રાત્રે આગનો બનાવ બન્યો. જેમાં 800 વર્ષ જૂનુ ચર્ચ બળીને ખાખ થઇ ગયું. જો કે આગના બનાવમાં સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
ફ્રાંસના પેરિસમાં આવેલ પ્રખ્યાત નોટ્રે-ડેમ કેથેડ્રલ ચર્ચમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. કેથેડ્રલ ચર્ચમાં આગળની વિશાળ જ્વાળાઓ જોવા મલી. ફ્રાન્સના મશૂહર ચર્ચ નોટ્ર-ડામ કેથેડ્રલમાં સોમવારે રાત્રે આગનો બનાવ બન્યો. જેમાં 800 વર્ષ જૂનુ ચર્ચ બળીને ખાખ થઇ ગયું. જો કે આગના બનાવમાં સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી પ્રાચીન કેથેડ્રલમાંનું આ એક ચર્ચ છે. આ ચર્ચને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. ઐતિહાસિક નોટ્ર-ડામ કેથડ્રલ ચર્ચ ક્રિશ્ચિયન સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ચર્ચ 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
આ દૂર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોં સહિત દુનિયાના ઘણા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ મેક્રાંએ એક ભાવુક સંદેશમાં જણાવ્યું છે કે આપણા વજૂદના એક ભાગને સળગતો જોઇ ઘણી તકલીફ થઇ રહી છે.
પેરિસના લેન્ડમાર્કમાં આવેલ આ કેથેડ્લ ચર્ચમાં સોમવારે સાંજે ભીષણ આગનો બનાવ બન્યો. જો કે આગની ગરમીના કારણે ચર્ચની છત તૂટી ગઇ. જો કે ત્યારબાદ થોડા સમયમાં ચર્ચનું શિખર જમીનદોસ્ત થઇ ગયું. ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો. એક મળતાં અહેવાલ મુજબ આ ચર્ચના બિલ્ડીંગમાં રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતુ.