ઓમાનથી વેકેશનની રજા માણી પરત ફરી રહેલા યાત્રીઓ ભરેલી બસ શેખ મોહમ્મદ બિન જાયેદ રોડ પર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત નિપજ્યાં છે જેમાં છ ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
દુબઇ પોલિસે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે 31 લોકોને લઇને જઇ રહેલી બસ એવા સમયે દૂર્ઘટનાગ્રસ્ત થઇ જ્યારે તે મેટ્રો સ્ટેશન પાસે ગાઇડ દર્શાવતાં બોર્ડ સાથે ટકરાઇ. આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને રાશિદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
દુબઇ પોલીસે કહ્યું છે કે દૂર્ઘટનામાં માર્યા ગયેલા 17 લોકો અલગ-અલગ દેશના છે. જેમાં પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દુબઇમાં સ્થિત ભારતીય વાણિજય દૂતાવાસે જણાવ્યું છે કે અમને જણાવતા દુખ થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને સંબંધિઓના અનુસાર અત્યાર સુધી આઠ ભારતીયોની આ દુબઇ બસ દૂર્ઘટનામાં મોત થવાની પુષ્ટી થઇ છે.
Indian Consulate Dubai: Sorry to inform that as per local authorities&relatives it is so far confirmed that 8 Indians have passed away in Dubai bus accident.Consulate is in touch with relatives of some of the deceased & awaits further details for others to inform their families. https://t.co/3y1YYflem7
દૂતાવાસ કેટલાક મૃતકોના સંબંધીઓના સંપર્કમાં છે અને અન્ય પરિવારને સૂચના કરવા અને વધારે માહિતી માટે રાહ જોવામાં આવી રહી છે. આ બસ અકસ્માતમાં ઇજા પામેલા ચાર ભારતીયોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને અન્ય ત્રણનો રાશિદ હોસ્પટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.