રાજકોટના યુનિવર્સિટી રોડ પરના પંચાયત ચોક નજીક આવેલા ચિત્રકુટ એપાર્ટમેન્ટના 7મા માળેથી એક 65 વર્ષીય વૃદ્ધાએ પડતૂ મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રાધિકાબહેન માંકડિયા નામના આ વૃદ્ધાએ પોતાની બહેનની દિકરીના ઘરે જઈને આ મોતની છલાંગ લગાવી છે.
પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતકને બ્લડ પ્રેશરની બિમારી હતી. વળી તેઓ સાધુ વાસવાણી રોડ ખાતે રહે છે અને બહેનની દિકરીના ઘરે જઈ આ પગલું ભર્યું છે. ઘરમાં પણ કોઈ તકલીફ ન હતી કે કોઈપણ પ્રકારનો ઝઘડો થયો નહોતો. તો પછી તેમણે આ પગલું કેમ ભર્યુ? તે અંગેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે.