વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. કેરળમાં એક જ પરિવારનાં 5 સભ્યોમાં કોરોના વાયરસની પુષ્ટિ થતાં ભારતમાં કુલ આંકડો 39 પર પહોંચી ગયો છે. આ પહેલાં પણ કેરળમાં કોરોના વાયરસનાં 3 કેસ નોંધાયા હતા.
ઇટલીથી ભારત આવ્યો હતો પરિવાર, ભારત આવીને કેટલાય લોકો સાથે કરી મુલાકાત
પરિવારે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી આપી ન હતી
શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર ન હતો પરિવાર
કેરળમાં એક જ પરિવારનાં પાંચ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. આ સાથે જ ભારતમાં ખતરનાખ કોરોના વાયરસનાં પીડિતોની સંખ્યા વધીને 39 પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ઇટલીથી ભારત આવ્યું હતું જ્યાં કોરોનાં વાયરસનો ખૂબ પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનાં કહેરથી પીડાતા આ પરિવારમાં એક બાળક પણ સામેલ છે. કોરોના વાયરસથી ગ્રસિત દરેક લોકોને પટનમથીટ્ટા જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
Kerala Health Minister KK Shailaja: 5 new positive cases of #Coronavirus have been admitted in the isolation wards here. Three people recently returned from Italy due to which two more got the disease here in Pathanamthitta district. (File pic) pic.twitter.com/3v0uO4UkjP
કેરળનાં સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ જણાવ્યું કે પરિવારે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી આપી ન હતી જેથી તેમની તપાસ પણ કરવામાં આવી ન હતી. વધુમાં જણાવતાં કહ્યું કે આ પરિવારના સભ્યો શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ થવા પણ તૈયાર ન હતા. તેમને મનાવીને હોસ્પિટલનાં લાવવામાં આવ્યા છે.
આ પરિવારમાં એક દંપતી અને તેમનો પુત્ર હાલમાં ઇટલીથી પરત ફર્યા હતાં. ભારત આવ્યા બાદ કેટલાય સગા-સંબંધીઓ સાથે તેમણે મુલાકાત પણ કરી. જે બાદ કોરોના વાયરસનાં લક્ષણ દેખાતા પરિવારને અલગ-અલગ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
આ પહેલાં કેરળમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 3 હતી. ચીનનાં વુહાન શહેરમાં મેડીકલનું શિક્ષણ મેળવતા ત્રણ વિદ્યાર્થીઓને સારવાર બાદ છોડી દેવામાં આવ્યા હતા.