નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ નામની આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે સવારે ધરપકડ કરી હતી. આ બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કર્યાં હતાં. જેમાં 16 જેટલા કારણો રજુ કરી પોલીસે કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા છે. આ દરમિયાન બન્ને પક્ષનાં વકીલો વચ્ચે કોર્ટ રુમમાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. કોર્ટે આ કેસમાં 5 દિવસનાં રિમાન્ડ આપ્યાં છે.
સરકારી વકીલે રિમાન્ડ માંગવા માટે આ દલીલો કરી હતી
બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવનાં શ્રાપથી ડરાવાતા હતા
બંધક બનાવવા પાછળ કોનો દોરી સંચાર છે?
સરકારી વકીલે રિમાન્ડ માંગવા માટે આ દલીલો કરી હતી
ગુરૂકુળ કોના માર્ગદર્શન હેઠણ તેમજ મુખ્ય સંચાલક કોણ કોણ છે? તેની ઉંડાણ પુર્વક તપાસ કરવા
ગુરૂકુળના રેકોર્ડ રજીસ્ટેશન અંગે તપાસ કરતા આરોપી બહેનોએ રેકોર્ડ રજુ કરેલ નથી. આશ્રમના સંચાલીકા માં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી.
ગુરુકુળમાં પુખ્તવયનાં કેટલા માણસો છે તેની માહિતી નથી
ગુરૂકુળમાં પુખ્તવયના કેટલા માણસો હાજર છે? અને તેની કામગીરી શું છે? કલ્પલતાનો મોબાઈલ તથા લેપટોપ આશ્રમમાંથી મળી આવેલો નથી. કલ્પલતાનાં જણાવ્યાં મુજબ તેમનો મોબાઈલ અને લેપટોપ બન્ને આરોપી બહેનોએ લઈ લીધો છે. જેવી તમામ વિગતો મેળવવા રિમાન્ડ જરુરી છે.
બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવનાં શ્રાપથી ડરાવાતા હતા
આ ઉપરાંત ગુરૂકુળ કોના માર્ગદર્શન હેઠળ ચાલે છે તેનો મુખ્ય સંચાલક કોણ છે? આરોપી બહેનોઓ ગુરૂકુળનાં રેકોર્ડ રજીસ્ટેશન રજુ કર્યા નથી. આ ઉપરાંત આશ્રમનાં સંચાલીકા માં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી. આ મુદ્દામાં ભોગબનનાર બાળકોએ CWC તથા પોલીસ તપાસમાં આપેલ પોતાના નિવેદનમાં જણાવેલ છે કે, બાળકો પાસે બાળ મજુરી કરાવી માતબર રકમ તથા કિંમતી જમીન લઈ આપવાનાં ટાર્ગેટ આપવામાં આવે છે. આ રકમ કોનાં ખાતામાં કેવી રીતે જતી હતી તેની તપાસ માટે પણ રિમાન્ડની જરુર છે. કુમળા બાળકો કામ ન કરે અને બાળકો તેમનાં વાલીવારસને મળવાનું જણાવે ત્યારે બાળકોને ગુરૂદ્રોહ અને કાલભૈરવનાં શ્રાપથી ડરાવાતા હતા.
બંધક બનાવવા પાછળ કોનો દોરી સંચાર છે?
આશ્રમમાં કોઈપણ રજા કે, વેકેશન કે, વાર તહેવારની રજા કેમ આપવામાં આવતા નથી. બાળકોનાં નિવેદનમાં આશ્રમ તરફથી તેમને પ્રાયશ્ચિતરૂમ સ્પિરિટ્યુલ પ્રોસેસનાં નામે બાળકોને બંધક બનાવી તેમની બધી સ્વતંત્રાઓ છીનવી લેવાતી હતી. બંધક બનાવવા પાછળ કોનો દોરી સંચાર છે? આ જાણવું જરુરી છે.
આ નિયમો કોણે બનાવ્યા?
આશ્રમ કયાં નિયમ- ધારા ધોરણ અને સિલેબસથી ચાલે છે ? આ નિયમો કોણે બનાવ્યા? નિયમોનુ પાલન કરીને ગુરૂકુળ ચલાવવા અંગેની માન્યતા મેળવેલ છે કે કેમ? ભોગબનનાર બાળકના જણાવ્યા અનુસાર બાળકોને શિક્ષા કરવાની થાય ત્યારે શિક્ષાનો પ્રકાર અને કક્ષા આશ્રમની સંચાલિકા નક્કી કરતી કે કોઈનાં આદેશનુ પાલન કરતી ?
આરોપી બહેનોનો પુર્વ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ
જો સરકારશ્રીની રેવેન્યુને નુકસાન થતું હોય તેમજ ભોગ બનનાર ઉપરાંત બીજા બાળકો બાબતે ગુનાહિત કૃત્ય બનતુ હોય તો સામે લાવવુ જરૂરી છે. નવા આશ્રમ માટે જમીન કોને આપેલી છે. આરોપી બહેનોનો પુર્વ ગુનાહિત ઇતિહાસ હોય તો જે અંગે આરોપી બહેનોએ જણાવેલું નથી.
આ તમામ સત્ય બહાર આવવું જરુરી છે.
કથિત ગુમ યુવતી નંદિતાને દબાણ કરીને મા-બાપ વિરૂદ્ધ ગુરૂકુળ તરફથી કહેવામાં આવે તે વિગત બોલીને તેનો વિડીઓ બનાવી (સોશીયલ મિડીઆ) ઉપર વાયરલ કરવામાં આવે
છે. તો તેનું સત્ય શું છે. આ ઉપરાંત આરોપી બહેન માં હરીણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંધા પોતનું મુળ સરનામુ તથા તેમના પિયરનું ચોક્કસ સરનામું પણ જણાવતી નથી. તો તે કેમ સત્ય છુપાવી રહી છે? આ તમામ સત્ય બહાર આવવું જરુરી છે.