ભારતમાં કોરોના વાયરસથી થયેલા મોતની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં બુધવારે કોરોનાથી 900થી વધારે મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કારણે થયેલો કુલ મૃત્યુઆંક 40 હજારને પાર કરી ચૂક્યો છે. ભારત આ મહામારીથી થનારા મોતને કારણે દુનિયામાં પાંચમા ક્રમે પહોંચી ચૂક્યું છે. સૌથી વધારે કેસમાં તે ત્રીજા નંબરે છે. ભારતમાં આ સમયે રોજના 50 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. ગુરુવારે એટલે કે આજે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચશે. ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે.
આજે કોરોના સંક્રમણનો કુલ આંક 20 લાખને પાર થશે
દેશમાં કોરોનાને કારણે થયા કુલ 40 હજાર મોત
મહારાષ્ટ્રમાં થયા છે સૌથી વધારે મોત
भारत में पिछले 24 घंटों में 52,509 नए #COVID19 मामले और 857 मौतें रिपोर्ट की गई हैं। कुल पॉजिटिव मामलों की संख्या 19,08,255 हो गई है, जिसमें 5,86,244 सक्रिय मामले, 12,82,216 ठीक / डिस्चार्ज / माइग्रेट और 39,795 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/j03sZ4CY9s
ભારતમાં બુધવારે કોરોનાના 52 હજાર કેસ આવ્યા હતા. કોવિડ 19 ભારતના આધારે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19.60 લાખ કેસ આવી ચૂક્યા છે. જે રીતે દેશમાં કોરોના ફેલાઈ રહ્યો છે તે જોતાં કહી શકાય કે આજે એટલે કે ગુરુવારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી જશે. ભારત 20 લાખ કેસ સુધી પહોંચનારો ત્રીજો દેશ છે. દુનિયામાં સૌથી વધારે કેસ અમેરિકામાં 49.30 લાખ છે જ્યારે બીજા નંબરે બ્રાઝિલમાં 28.20 લાખ કેસ છે. ભારત ત્રીજા નંબરે છે. દુનિયામાં કુલ 1.88 કરોડ કેસ છે અને 7.10 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે.
ભારતથી વધારે મોત ફક્ત આ 4 દેશોમાં
મળતી માહિતી અનુસાર બુધવારે કોરોનાથી 919 મોત થયા છે. આ સાથે દેશમાં મહામારીથી થનારા મોતની સંખ્યા 40739 પહોંચી છે. કોરોના મહામારી ભારતમાં બેકાબૂ બની છે. એક મત અનુસાર આવનારા 12થી 13 દિવસોમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 50 હજારને પાર પહોંચી જશે. અત્યારે દુનિયામાં ફક્ત 2 દેશ છે જ્યાં 50 હજારથી વધારે મોત થયા છે. જેમાં અમેરિકા અને બ્રાઝિલના નામ છે. અમેરિકામાં 1.60 લાખ મોત, બ્રાઝિલમાં 96 હજાર મોત થયા છે તો મેક્સિકોમાં 49 હજાર અને બ્રિટનમાં 46 હજાર મોત થયા છે.
મહારાષ્ટ્રમાં થયા છે 16 હજાર મોત
ભારતીય રાજ્યોની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. અહીં લગભગ 4.68 લાખ કેસ છે. 16 હજારથી વધારે લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 2.73 લાખ કેસ છે અને 4400થી વધારે લોકો મોતને ભેટ્યા છે. આ સિવાય આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં પણ 1-1 લાખથી વધારે કેસ છે. દિલ્હીમાં 4000, કર્ણાટકમાં 2800, ઉત્તરપ્રદેશમાં 1800 અને આંધ્રપ્રદેશમાં 1600થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.