કર્ણાટકના કોડગુમા જિલ્લામા આવેલ નવોદય હાઈસ્કૂલમાં એક સાથે 32 બાળકો પોઝિટીવ થયા છે. જેના કારણે તંત્ર દોડતુ થઈ ગયું છે. શાળાના અન્ય વિદ્યાર્થીઓને તંત્રએ આઈસોલેટ રહેવા આદેશ આપ્યા છે.
કર્ણાટકમાં કોરોનાએ વધાર્યું લોકોનું ટેન્શન
શાળામાં અભ્યાસ કરતા 32 વિદ્યાર્થીઓ પોઝિટીવ
એકસાથે 32 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા મચી ઉઠ્યો હડકંપ
કર્ણાટકમાં આવેલ કોડાગુમાં કોરોનાએ ટેન્શન વધારી દીધું છે. અહીયા એક શાળામાં 32 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચી ઉઠ્યો છે. કોડાગુમાં આવેલ નવોદય વિદ્યાલયમાં આ બનાવ બન્યો છે. જેના કારણે લોકોમાં હવે અહીયા ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
બાકીના વિદ્યાર્થીઓ 7 દિવસ સુધી આઈસોલેટ
આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની સાથે સાથે અહીયા એક શિક્ષકનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. તે મોટા ભાગે બધા 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે. શાળાના વિદ્યાર્થીઓને પણ 7 દિવસ સુધી આઈસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ પ્રશાસન દ્વારા પણ માતા પિતા પેનિક ન થાય તે કહેવામાં આવ્યું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 16 હજાર કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર કેસ નોંધાયા છે. સાથેજ 733 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જોકે સારી બબાત એ છે કે 17હજાર કરતા પણ વઘારે લોકો રિકવર પણ થયા છે. રિકવરી રેટ 98.20 ટકા સુધઘી પહોચ્યો છે. જે માર્ચ 2020 થી લઈ અત્યા સુધીમાં સૌથી વધારે છે.
વેક્સિનેશનને કારણે કોરના કાબૂમાં
ઉલ્લેખનીય છે કે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 1 લાખ 60 હજાર જેટલી છે. જે 243ના અંતરમાં સૌથી ઓછી છે. એક્ટિવ કેસ પણ હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. ભારતમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આજ કારણ છે કે કોરોના પર કાબૂ મેળવી શકાયો છે. કારણકે અત્યાર સુધીમાં કુલ 104 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.