અરુણાચલ પ્રદેશમાં દુર્ઘટનાના શિકાર થયેલા વાયુસેનાના વિમાન AN-32 માં સવાર 13 લોકોમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે બાકી બચેલા 7 લોકોના પાર્થિવ અવશેષ મળ્યા છે. જો આજે હવામાન અનુકૂળ રહેશે તો શબ અને અવશેષ જોરહાટ લાવી શકાશે.
આપને જણાવીએ કે, આ વિમાન 3 જૂનને આસામના જોરહાટમાં મેંચુકા એડવાન્સ લેન્ડિગં ગ્રાઉન્ડ માટે ઉડ્યું હતું. પરંતુ એક વાગ્યે તેનો સંપર્ક ટૂટી ગયો હતો. જે બાદ વિમાનો કોઇ પત્તો મળ્યો નહોતો. આ વિમાનમાં પાયલટ સહિત કુલ 13 લોકો સવાર હતા.
11 જુને વાયુસેનાના હેલિકોપ્ટર એમઆઇ 17એ અરુણાચલના સિંયાંગના 12000 ફૂટ ઉંચા પર્વત શ્રેણીઓ પર તેનો કાટમાળ મળ્યો હતો. બીજા દિવસે હેલિકોપ્ટરથી 19 લોકોની એક્ટપર્ટ ટીમ અહીં પહોંચી હતી. પરંતુ ઉંચી પર્વત શ્રેણીઓ, ગાઢ જંગલ અને ખરાબ હવામાનને કારણે શબ શોધવા અને પરત લાવવામાં સમય લાગ્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે, ખરાબ હવામાનને કારણે ગત ત્રણ દિવસોમાં MI 17, ચીતા અને એએલએચ સહિત કોઇપણ હેલિકોપ્ટર ઘટનાસ્થળે ઉતરવામાં અસફળ રહ્યું હતું. એમણે બતાવ્યું કે, એક ટીમ દુર્ઘટના સ્થળે ચાલીને પહોંચી હતી.
આ ટીમમાં વાયુસેનાના ગરુડ કમાન્ડો, ભારતીય સેનાના વિશેષ દળ, નાગરિક પોર્ટર અને શિકારી સામેલ છે. રાહત અને બચાવ દળે રશિયાના વિમાનનું કોકપિટ વાયસ રિકોર્ડર (CVR) તથા ટેક ઓફ ડાટા રિકોર્ડર (FDR) શુક્રવારે ઘટનાસ્થળેથી મળેવ્યું હતું.