બનાસકાંઠા જિલ્લામાં થરાદ-સાચોર અને વાવ હાઇવે પર ઘટેલી બે અલગ-અલગ સડક દુર્ઘટનામાં 3 લોકોના મોત
બનાસકાંઠામાં બે અલગ-અલગ દુર્ઘટના
બે દુર્ઘટનામાં મળીને ત્રણના મોત
બનાસકાઠા હાઈ-વે પર પ્રતિ દિન દુર્ઘટનાઓ
બનાસકાંઠા જિલ્લામાં થરાદ-સાચોર અને વાવ હાઇવે પર ઘટેલી બે અલગ-અલગ સડક દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે.પહેલી ઘટનામાં માંગરોળ નજીક કાર અને ટેન્કર વચ્ચે
થયેલા ગમખ્વાર અક્સમાતમાં 2 વ્યક્તિના જ્યારે વાવ નજીક ટેન્કર અને JCB વચ્ચે અકસ્માત થયો હતો.
કારના પરખચ્ચા ઉડી ગયા
બનાસ કાંઠામાં દિવસે-દિવસે અકસ્માતનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું હોય તેમ રોજીંદી દુર્ઘટનાઓ સામે આવે છે. જીલ્લાના થરાદ-સાંચોર હાઈ-વે પર એક ગમખ્વાર દુર્ઘટના ઘટી. જેમાં માંગરોળ નજીક કાર અને ટેન્કર વચ્ચે મોટો અક્સમાત સર્જાયો હતો. અક્સમાત થતા કારના ભૂક્કા બોલી ગયા હતા. આ દુર્ઘ્નામાં ઘટના સ્થળે જ 2 વ્યક્તિના મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ કાર કયાની હતી,ચાલક કોણ હતા અને અક્સમાત કેવી રીતે સર્જાયો તેની વિગતો એકત્રિત કરવામાં લાગી ગઈ હતી.આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા પહોચી હતી. ઇજાગ્રસ્તોને સારવારાથે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા હતા.
કુલ ત્રણ મોત-ચાર ઈજાગ્રસ્ત
તો બીજી દુર્ઘટના વાવ હાઈ-વે પર ચારડા નજીક ટેન્કર અને JCB વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયાની માહિતી મળી રહી છે. અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે.આમ, બનાસ કાંઠામાં બે અલગ-અલગ સડક દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોચી હતી