કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રવિવારે પોતાનું નિવેદન પાછુ લીધુ છે. જેમા એમણે કથિત રીતે બોલીવુડ ફિલ્મોની સફળતાનું ઉદાહરણ આપતા અર્થવ્યવસ્થામાં મંદીની વાતને ફગાવી દીધી હતી. એમણે કહ્યું હતું કે 2 ઓક્ટોબરે ત્રણ ફિલ્મોને 120 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિશંકરે કહ્યું કે, આ અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત આપે છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રવિવારે પોતાનું નિવેદન પાછુ લીધુ
રવિશંકર પ્રસાદે બેરોજગારી પર NSSOની રિપોર્ટને પણ 'ખોટુ' બતાવી હતી
રવિવારે ટ્વિટ કરતા એમણે કહ્યું કે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરાયું, તેથી હું મારું નિવદેન પાછુ લઉં છું. એમણે ટ્વિટર પર એક પત્ર શેયર કર્યો, જેમા એમણે લખ્યું છે, 'મુંબઇમાં કરવામાં આવેલી મારી ટિપ્પણી '3 ફિલ્મોએ એક જ દિવસમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી' તથ્યાત્મક રીતે સાચુ નિવેદન હતું. મેં એ એટલા માટે કહ્યું હતું કે હું મુંબઇમાં હતો- ભારતની ફિલ્મ રાજધાની. આપણાને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર ખુબજ ગર્વ છે જે લાખો લોકોને રોજગાર આપે છે. અને કરના માધ્યમથી મહત્વપૂર્ણ યોગદાન આપે છે.'
Union Minister Ravi Shankar Prasad: Entire video of my media interaction is available on my social media. Yet I regret to note that one part of my statement has been completely twisted out of context. Being a sensitive person I withdraw my comment. https://t.co/AStYrcoE6v
સાથે જ એમણે કહ્યું, 'મેં વિસ્તારથી આ વાતને પણ જણાવી હતી કે સરકારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે લોકોના હિતમાં શું પગલા ઉઠાવ્યા છે. પીએમ નરેદ્ર મોદીની સરકાર હંમેશા સામાન્ય લોકોની સંવેદનશીલતાની ચિંતા કરે છે. મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મારી મીડિયા સાથે વાતચીતનો આખો વીડિયો હાજર છે. જોકે, મને એ જાણીને દુ:ખ છે કે મારા નિવેદનના એક ભાગને તોડીને અલગ અર્થ નીકાળવામાં આવ્યો. એક સંવેદનશીલ માનવી હોવાને પગલે મારું નિવદેન પાછુ લઉ છું.'
શનિવારે રવિશંકર પ્રસાદે બેરોજગારી પર NSSOની રિપોર્ટને પણ 'ખોટુ' બતાવી હતી. આ રિપોર્ટમાં કહ્યું હતું કે વર્ષ 2017માં બેરોજગારીનો દર ગત 45 વર્ષમાં સૌથી ઉંચા સ્તરે રહી. પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકો યોજનાબદ્ધ રીતે સરકાર વિરુદ્ધ લોકોની બેરોજગારીની સ્થિતિ વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે.