વડોદરા રેલવેની ડીઆરએમ ઓફિસની. 100 વર્ષ પૂર્ણ થતા આ 100 વર્ષનો ઈતિહાસ આવતા 100 પછી પણ લોકોમાં જીવંત રહે તે માટે ઓફિસની સામે ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં ઉતારવામાં આવી .
ઈતિહાસને સાચવવા અનોખી પહેલ
વડોદરામાં ટાઇમ કેપ્સ્યુલનો પ્રયોગ
27 વસ્તુઓ 100 વર્ષ માટે જમીનમાં દટાઈ
રેલવે અર્થતંત્રનું એક મહત્વપૂર્ણ પાસુ છે કારણ કે, ભારતમાં રેલવે સાથે અનેક ઈતિહાસ જોડાયેલા છે.અને હાલના સમયમાં પણ રેલવે જ ટ્રાન્સપોર્ટીંગ માટે અને મુસાફરી માટે સૌથી મોટું માધ્યમ છે.આજે વાત કરવી છે 100 વર્ષ પૂર્ણ કરનાર વડોદરા રેલવેની ડીઆરએમ ઓફિસની. 100 વર્ષ પૂર્ણ થતા રેલવે વિભાગમાં ખુશી તો છે જ.પરંતુ આ 100 વર્ષનો ઈતિહાસ આવતા 100 પછી પણ લોકોમાં જીવંત રહે તે માટે ઓફિસની સામે ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં ઉતારવામાં આવી છે.ત્યારે શું છે આ ટાઈમ કેપ્સ્યુલ અને કેવી રીતે સચવાશે વર્ષો સુધી તેમાં ઈતિહાસ જોઈએ
DRM ઓફીસને પૂર્ણ થયો સૈકો
રેલવે આપણા અર્થતંત્રની આર્થિક ધરી છે.કારણ કે, રેલવે સમગ્ર દેશને જોડવાનું કામ કરે છે.તે પછાત,આર્થિક રીતે હોય કે, માનવિય રીતે. વાત છે વડોદરાના ગાયકવાડી સમયના રેલવેના ડીઆરએમ ઓફિસ બિલ્ડિંગની છે.આ બિલ્ડિંગ ઈતિહાસ સાથે જોડાયેલું છે.કારણ કે, 1 ઓક્ટોબર 2021ના દિવસે આ બિલ્ડિંગના 100 વર્ષ પૂર્ણ થયાં છે. પરંતુ આ 100 વર્ષની યાદો આગામી 100 વર્ષ સુધી કેવી રીતે સાચવવી તે ઉદ્દેશ્ય સાથે, દેશમાં પ્રથમ વખત રેલવે દ્વારા ડીઆરએમ ઓફિસની સામેના ગાર્ડનમાં ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી છે.. આ કેપ્સ્યૂલમાં 100 વર્ષ માટે વડોદરા અને ગુજરાતની ઓળખા સમાન વિશેષ વસ્તુઓ પણ મુકવામાં આવી છે..
100 વર્ષ માટે ટાઈમ કેપ્સ્યુલને ઉતારાઈ જમીનમાં
ડીઆરએમ ઓફિસના 100 વર્ષ પૂર્ણ થતાં રેલવે દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગત વર્ષે કોરોનાના કારણે ઉજવણી નહોતી થઈ શકી પરંતુ હવે ઉજવણી સાથે-સાથે ઈતિહાસને સાચવવા માટે ટાઈમ કેસ્પ્યૂલ જમીનમાં ઉતારાઈ છે.આ કેપ્સ્યૂલમાં રેલવેના ડ્રાઈવરના લાઈન બોક્સમાં, રેલવે સ્ટેશન પરનો બેલ, રેલવેની લાંકડાની સીટ, ટ્રેક પર વપરાતા ગ્લાસ, વર્તમાન ચલણી નોટો, સિ[ા, વર્તમાન પત્રો સહિત 27 વસ્તુઓ મુકવામાં આવી છે.આ કેપ્સ્યૂલ ઉતારવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય આવનાર રેઢીને આપણો ઈતિહાસ યાદ રહે અને તેનાથી પરિચિત થાય તેવો છે. જે ટાઈમ કેપ્સ્યુલને 100 વર્ષ માટે જમીનમાં ઉતારાઈ છે.તેને હવે આવતા વર્ષે 15 ઓક્ટોબર 2121માં બહાર કઢાશે
ટાઈમ કેપ્સ્યૂલ શું છે..?
અહીં તેવો સવાલ પણ અનેક લોકોને થતો હશે.. ત્યારે આપને જણાવી દઈએ કે, ખરેખર ટાઇમ કેપ્સ્યૂલ કન્ટેનર જેવું હોય છે. તે વિશિષ્ટ ધાતુઓથી બનાવવામાં આવે છે..જેથી તે તમામ પ્રકારના હવામાન અને પરિસ્થિતિઓનો સામનો કરી શકે. તેમાં બધી માહિતી મૂક્યા પછી જમીનની અંદર ઉંડે ખાડામાં દબાવવામાં આવે છે. તેમછતા હજારો વર્ષો સુધી માહિતી અને વસ્તુઓ એવીને એવી જ રહે છે.ટાઈમ કેપ્સ્યૂલ ભવિષ્યની પેઢીની જાણકારી માટે મુકાય છે કે આ સ્થાનનો ઈતિહાસ શું છે. જો વિશ્વનો નાશ થાય તો પણ, માહિતી લોકોની સામે સબુત બનીને કાયમ રહેશે. હાલ દેશમાં વડોદરા રેવલે દ્વારા ટાઈમ કેપ્સ્યૂલનો પ્રથમ વખત ઉપયોગ કરાયો છે .. અને આ કેપ્સ્યૂલ દ્વારા 100 વર્ષ પછી પણ આપણો ઈતિહાસ સચવાયેલો રહેશે..