નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી(ટેબ્લો)ના રૂપમાં વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિર રાજપથની ભવ્યતામાં ચાર ચાંદ લગાવશે.
પ્રજાસત્તાક દિવસ પરેડમાં મન મોહી લેશે ગુજરાતની ઝાંખી
વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરનો ટેબ્લો રાજપથ પર નજરે આવશે
60 કલાકારોએ ત્રણ મહિનાની મહેનત અને લગનથી આ ઝાંખી તૈયાર કરી
ઉત્કૃષ્ઠ શિલ્પ અને સ્થાપત્ય કળાની સાથે જ સંસ્કૃતિનો સમન્વય મોઢેરાના સૂર્ય મંદિરની હૂબહૂ ઝલકની ઝાંખી નજરે આવશે. અંદાજિત 60 કલાકારોએ ત્રણ મહિનાની મહેનત અને લગનથી આ ઝાંખીને ખુબ જ ખુબસુરતીની સાથે તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ 26 જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના સૂચના વિભાગ તરફથી ઝાંખીની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા શહેર નજીક મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમે આજેથી અંદાજિત 1 હજાર વર્ષ પહેલા 1026-27ઈ.માં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્ય મંદિરથી પણ પહેલા કરવામાં આવ્યું હતું. મારૂ-ગુર્જર સ્થાપ્ત્ય શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિરના ત્રણ મુખ્ય ભાગ છે. ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્ય કુંડ.
ખુબસુંદર સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ સભામંડપ જોવા પર લાગે છે જાણે પથ્થરો પર કવિતાઓ ઉપસી ગઇ હોય. અહીં સૌર વર્ષના 52 અઠવાડિયાના પ્રતીકના રૂપમાં 52 નક્કાશીદાર સ્તંભ છે, જેના પર મનમોહક ઉત્કીર્ણન દ્વારા રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દ્રશ્યોને દેખાડાયા છે. ઝાંખીના મુખ્ય ટ્રેલર વાળા ભાગમાં ભવ્ય સભામંડપ શોભાયમાન છે જ્યારે ટ્રેક્ટરવાળા આગામી ભાગમાં કીર્તિ તોરણ જેવા બે સ્તંભોને દર્શાવવામાં આવ્યા છે.
ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધૌલપુર સ્ટોન ટેક્સચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી ફ્લડ લાઇટના માધ્યમથી ઝાંખીનું આ સૂર્ય મંદિર પ્રકાશમાન છે.
મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખીની સાથે 12 મહિલા કલાકાર ટિપ્પણી નૃત્યની પ્રસ્તુતિ આપશે. પરંપરાગત જિમી વેશભૂષાથી સુસજ્જિત આ ગુજરાતી મહિલાઓની ટિપ્પણીની પદચાપથી રાજપથ ગૂંજ ઉઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે વિશેષ ગીતની રચના કરવામાં આવી છે. 'સૂર્ય દેવના તેજ છે અદકેરા, હેંડોને જઇએ સૌ મોઢેરા...' કવિતાની આ પંક્તિઓ દ્વારા સમગ્ર દુનિયાના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર આવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
સૂચના અને પ્રસારણ વિભાગના અશ્વિની કુમાર અને સૂચના નિદેશક અશોક કાલરિયાના માર્ગદર્શનમાં વિશેષ સૂચના નિદેશક અરવિંદ પટેલ, ઉપ સૂચના નિદેશક પંકજ મોદી અને હિરેન ભટ્ટ અને સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રા.લિ.ના સિદ્ધેશ્વર કાનૂગા અને તેમની ટીમે આ ઝાંખીને જી-જાનથી તૈયાર કરવામાં આવી છે.
ગુજરાત ઇન્ફર્મેશનના ઇન્ટાગ્રામ પર ટેબ્લોના ફોટો કર્યા શેર
રાજ્ય સરકારે ઇન્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'દર વર્ષે ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે. આ વખતે ગુજરાતના ટેબ્લો તરીકે ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વય સમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. જે રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. લગભગ ૬૦ જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન “ટિપ્પણી નૃત્ય”થી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. "સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા..." એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.'