નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં જ્યારે ઓક્સિજન લીક થયો ત્યારે તેની સંભાળ લેવા માટે ટેકનીકલ ટીમનો કોઈ માણસ જ હાજર નહોતો તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.
નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં મૃતાંક વધીને 24 થયો
ઓક્સિજન ટેન્કની દેખરેખ માટે કોઈ માણસ જ નહોતો
ઓક્સિજન ટેન્કની દેખરેખ માટે કોઈ માણસનું હોવું જરુરી છે
ડોક્ટરોનું આ કામ નથી.
ઓક્સિજન ટેન્કની દેખરેખ માટે કોઈ માણસ જ નહોતો
મીડિયા રિપોર્ટ અનુસાર, જાકિર હુસેન હોસ્પિટલમાં કંપનીએ ઓક્સિજન ટેન્ક તો લગાડી હતી પરંતુ તેની દેખરેખ માટે ટેકનીકલ ટીમનો કોઈ માણસ રાખવાનું ભૂલી ગઈ. ઓક્સિજન ટેન્કની દેખરેખ માટે કોઈ માણસનું હોવું જરુરી છે. ડોક્ટરોનું આ કામ નથી. તેથી ઓક્સિજન ટેન્ક માટે ટેક્નીકલ ટીમને કેમ ન રખાઈ તે એક સવાલ છેડાઈ રહ્યો છે.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
ટેન્કની દેખરેખ માટે માણસ હોત તો ઓક્સિજન લિકેજ અટકી શક્યું હોત
જો ઓક્સિજન ટેન્કની દેખરેખ માટે કોઈ માણસ હોત તો તે લીકને અટકાવી શક્યો હોત અને આ રીતે 24 દર્દીઓના જીવ બચી શક્યા હોત.
ઘટના બાદ ફરી વાર શરુ થયો ઓક્સિજન સપ્લાય
આ ઘટના બાદ હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ફરી શરુ કરી દેવાયો છે. દર્દીઓને ઓક્સિજન દેવાનું કામ શરુ થયું છે. જોકે આ દુર્ઘટનાને કારણે ઘણા દર્દીઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે. કોઈ માનવીય ભૂલને કારણે અથવા તો બીજા કોઈ કારણને લીધે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ તેની પર હાલમાં તો કંઈક કહેવાયું નથી. બુધવારે બપોરે 2 ની આસપાસ હોસ્પિટલ પરિસરમાં પડેલી ટેન્કમાંથી ઓક્સિજન લીક થવા લાગ્યું હતું અને તેને પરિણામે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઓછો મળવા લાગતા તેઓ તરફડવા લાગ્યા હતા અને આખરે તમામ 22 દર્દીઓ મોતને ભેટ્યા હતા.
લીક થતા ઓક્સિજનનો સપ્લાય ખોરવાયો, 24 લોકોના થયા દર્દનાક મોત
જાકિર હુસેન હોસ્પિટલ પસિસરમાં પડેલી ટેન્કમાંથી અચાનક જ કોઈ કારણસર ઓક્સિજન લીક થવા લાગ્યો હતો. ઓક્સિજન લીક થવાને કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. શરુઆતમાં તો લોકો આગ લાગી હોવાનું લાગ્યું હતું. પરંતુ ઓક્સિજન લીક થયાનું જાણમાં આવતા લોકોમાં અફરાતફરી મચી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવતા ગાડીઓ આવી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
દોષીઓને કડક સજા કરાશે-મહારાષ્ટ્રના મંત્રી
મહારાષ્ટ્રના મંત્રી રાજેન્દ્ર શિંગળેએ જણાવ્યું કે અમને પ્રાથમિક માહિતી મળી છે કે આ ઘટનામાં 11 દર્દીઓના મોત થયા છે. આ ઘટનાની તપાસ બાદ દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.