લો બોલો! દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું છે. લાખોના આ કોભાંડમાં લોકોએ નકલી ખેડૂત બનીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
35,636 હજાર અરજીઓ યોજનના લાભ માટે આવી હતી
2719 ખાતેદારોની ખરાઇ થઇ હતી
32,717 વ્યક્તિઓ ખોટા ખાતેદારો હોવાનું સામે આવ્યું
દાહોજ જિલ્લામાં પીએમ કિસાન યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ખાતેદાર બની ખોટી રીતે આર્થિક લાભ લેવાનો ખુલાસો થયો છે. પીએમ કિસાન યોજના માટે કુલ 35 હજાર 636 અરજીઓ આવી હતી. જેમાંથી 2 હજાર 719 ખાતેદારોની ખરાઇ થઇ હતી. અને 32 હજાર 717 વ્યક્તિઓ ખોટા ખાતેદારો હોવાનું સામે આવ્યું હતું.
ખોટા દસ્તાવેજ રજૂ કરી ખાતેદાર બની કુલ 23.82 લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો
આ ઉપરાંત 2 હજાર 719 ખાતેદારોની ખરાઇ કરાઇ હતી. તેમાંથી પણ 1 હજાર 191 વ્યક્તિઓ ખોટા હોવાનું સામે આવ્યું છે. અને ખોટા દસ્તાવેજ રજૂ કરી ખાતેદાર બની કુલ 23.82 લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો. જેને લઇ જિલ્લા ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.