4 રાજ્યોમાં જીતના જશ્ન દિલ્હીના ભાજપ સ્થિત કાર્યાલય ખાતે યોજાઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા રશિયા-યુક્રેન મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું.
દિલ્હી કાર્યાલય પર ભાજપનો જીતનો જશ્ન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન
રશિયા-યુક્રેન મામલે કહ્યું- ભારત શાંતિના પક્ષમાં છે.
ચાર રાજ્યોમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચ્યાં હતા જ્યાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું હારમાળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. મુખ્યાલયમાં આવ્યાં બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નડ્ડા, અમિત શાહ અને રાજનાથ સિંહે પીએમને મોટો હાર પહેરાવ્યો હતો.
રશિયા-યુક્રેન મામલે આપ્યું મોટું નિવેદન
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિના પક્ષમાં છે, વાતચીતથી તમામ સમસ્યાનો ઉકેલ આવે છે. મોદીએ કહ્યું કે ભારતની બહુ મોટી જરૂરિયાતો યુદ્ધ લડતા દેશો સાથે જોડાયેલી છે. ભારત કાચુ તેલ, પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ મંગાવે છે.
આ વખતે 10 માર્ચથી હોળી શરુ થઈ-પીએમ મોદી
કાર્યકરોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માતાઓ, બહેનો અને યુવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે, તે પોતાનામાં બહુ મોટો સંદેશ છે. મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મને વચન આપ્યું હતું કે આ વખતે 10 માર્ચથી જ હોળી શરૂ થઇ જશે.અમારા કાર્યકર્તાઓએ વિજય ધ્વજ ફરકવાનીએ વાયદો પૂર્ણ કર્યો છે. હું તમામ કાર્યક્રતાઓની પ્રશંસા કરું છું, જેમણે દિવસ રાત જોયા વિના આ ચૂંટણીઓમાં બહુ મહેનત કરી છે. અમારા કાર્યકર્તા જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા.
ગરીબોને તેમનો હક પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બની છે. પરંતુ જેમનો હક હતો તેમના સુધી તે પહોંચી નહતી. પરંતુ બીજેપીએ સુનિશ્ચિત કર્યું કે, દરેક ગરીબને તેમનો હક મળે. બીજેપી ગરીબોને વિશ્વાસ અપાવે છે કે, દરેક ગરીબ સુધી તેમનો હક પહોંચે.
ગરીબોને હક ન મળે ત્યાં સુધી નિરાંતનો શ્વાસ નહીં લઉ
પીએમએ કહ્યું, હું ગરીબને તેમનો હક તેમના દરવાજા સુધી પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ.તેમણે કહ્યું કે અમે ગરીબો અને આર્થિક રીતે નબળા લોકો માટે કામ કર્યું છે. અમારી નીતિઓ પણ ગરીબો તરફ રહી છે.
આર્થિક રીતે નબળા અને ગરીબો માટે નિર્ણય લીધા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ ચૂંટણી એવા સમયે થઇ જ્યારે દુનિયા 100 વર્ષના સૌથી મોટા કોરોના જેવી મોટી મહામારીથી લડી રહી છે. સમગ્ર માનવજાત આખુ વિશ્વ 100 વર્ષમાં આવી બિમારી નથી જોઇ કે મુસિબતથી લડવું નથી પડ્યું. યુદ્ધે પણ વિશ્વની ચિંતા વધારી છે. દુનિયાભરની સપ્લાઇ ચેન વેરવિખેર થઇ ગઇ.મોદીએ કહ્યું કે અમે આર્થિક રીતે નબળા અને ગરીબો માટે નિર્ણય લીધા છે.