ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) એટલે કે સ્રોતથી કર કપાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર જો કોઇ કર્મચારીનો પગાર ટીડીએસ કપાત માટે પાત્ર હોય અને જો તે પોતાનો પાન નંબર કે આધારની વિગતો શેર નહીં કરે તો સેલરીમાંથી ૨૦ ટકા ટીડીએસ કાપી લેવાશે.
આધાર અને પાન વગર 20% TDS કાપી લેવાશે
પાન કાર્ડ ન હોય તો તે ટેક્સ સંબંધિત કાર્યમાં આધારનો ઉપયોગ કરી શકે છે
(સીડીબીટી)ના પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીડીબીટી)ના પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે નવા નિયમમાં આધાર નંબરને પણ સામેલ કરવામાં આવેલ છે. અગાઉ ટેક્સ સંબંધિત કાર્યમાં માત્ર પાન નંબરની જ જરૂર રહેતી હતી, પરંતુ ગઇ સાલ સરકારે જણાવ્યું છે કે જો કોઇની પાસે પાન કાર્ડ ન હોય તો તે ટેક્સ સંબંધિત કાર્યમાં આધારનો ઉપયોગ કરી શકે છે.
નવા નિયમ અનુસાર તમામ પ્રકારની રાહતનો લાભ લીધા બાદ જો પગાર ૨૦ ટકાના ટેક્સેબલ સ્લેબમાં આવતો હોય તો ટીડીએસ ૨૦ ટકા જ રહેશે. પાંચ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ૨૦ ટકાનો ટેક્સનો દર છે. જો કર્મચારીની સેલરી ૩૦ ટકાના સ્લેબમાં આવતી હોય અને તેણે જો પાન-આધાર કાર્ડ જમા કરાવ્યું ન હોય તે ટીડીએસ કાપતા પહેલા સરેરાશ ટેક્સનો દર ગણાશે અને જો એવરેજ ટેક્સ રેટ ૨૦ ટકાથી વધુ હશે તો ટીડીએસ ૨૦ ટકાના દરે જ કપાશે.