તમિલનાડૂના તિરૂચિરાપલ્લી જિલ્લાના એક ગામડામાં બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના બાળકના મોત અંગેની જાણકારી અધિકારીઓએ આપી છે. બાળકના મૃતદેહને બોરવેલમાંથી બહાર નિકાળવામાં આવ્યો ત્યારબાદ તેને મનાપ્પરાઇ સરકાર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
તામિલનાડૂના તિરૂચિરાપલ્લી જિલ્લામાં સ્થિત નાદુકટ્ટપટ્ટીમાં શુક્રવારના રોજ 25 ફૂટ બોરવેલમાં પડી ગયેલા સુજીત વિલ્સન (Sujith Wilson) નામના બાળકનું મોત થયું છે.
વિલ્સનના મૃત્યુની પુષ્ટિ કરી રહેલા સરકારી અધિકારીએ જણાવ્યું કે વિલ્સનનું શરીર બોરવેલની અંદર ડિકંપોઝ્ડ થઇ ગયું હતું. જો કે અધિકારીએ જણાવ્યું કે બાળકને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ દુર્ભાગ્યવશ તેનું મૃત્યુ થયું. બાળકનો મૃતદેહ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ ખોદકામ રોકી દેવામાં આવ્યું છે.
#SaveSujith: Toddler's body in 'decomposed' state, says Tamil Nadu government official
આ અગાઉ બચાવ પ્રક્રિયામાં કામ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકને બહાર કાઢવામાં હજી અડધો દિવસ લાગી શકે છે, પરંતુ મંગળવારના રોજ સવારે બોરવેલમાંથી દૂર્ગંધ આવવા લાગી હતી જેને લઇને અધિકારીઓએ બાળકના મૃત્યુંની જાહેરાત કરી.