મુંબઈના અંધેરીમાં આવેલા એક ફ્લેટમાં કોઈ કારણોસર આગ લાગતા બે લોકોનાં મોત થયા. અંધેરીમાં ઓબેરોય હોટલ નજીક આવેલા આ ફ્લેટમાં આકસ્મિક રીતે આગ લાગતા ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી.
ઘટનાના પગલે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર વિભાગે ફ્લેટમાંથી પાંચ લોકોને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ અંધેરીની ઓબેરોય હોટલ નજીક આવેલ એક બિલ્ડીંગના ફ્લેટમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના અંગેની જાણકારી આસપાસ રહેતા લોકોમાં થતાં જ તેમણે યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
જો કે સમયસર ફાયર વિભાગના જવાનો આવી પહોંચતા તેઓ પણ આ બચાવ કામગીરીમાં જોતરાયા હતા અને ફ્લેટમાં રહેલા 5 લોકોને બહાર કાઢ્યા હતા. આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગયેલ હોવાને કારણે 2 લોકોના મોત નિપજ્યા હતા. ફ્લેટમાં આગ લાગવા પાછળનું કારણ શું હતું તે હજી સુધી સ્પષ્ટ થઇ નહીં શકતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.