આજે સુરત શહેરમાં સ્વંયમભૂ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં સુરત PASS દ્વારા શહેર બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે બનેલી આગની દુર્ઘટના બાદ આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે,સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 21 બાળકોના મોતની ઘટના બની છે.
મળતી માહિતી મુજબ તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષ પાસે આવેલ જીઇબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મર બિલ્ડિંગથી સાડા ત્રણ ફૂટ દૂર હોવાથી અને બિલ્ડિંગમાં એસી લગાવેલા હોવાથી જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેને લઈને તક્ષશિલા આર્કેડનો બહાર નીકળવાનો દરવાજો આગની લપેટમાં આવી ગયો હતો.
આથી કોમ્પલેક્ષમાં 40થી વધુ લોકો માટે જીવ બચાવવા બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો. પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતા કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી છલાંગ મારી દીધી હતી. જેમાં ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
સુરતના એપાર્ટમેન્ટમાં આગ
ઉલ્લેખનીય છે કે, સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 17થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા. આ મામલે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કોર્પોરેશનની બેદરકારી સામે આવી હોવાની વાત કરી અને તંત્ર દ્વારા આ બિલ્ડીંગને બીયુ પરમિશન ક્યાં ધોરણે આપવામાં આવી તેવા સવાલો તેમણે કર્યા.
તેમજ તંત્રએ આ ઘટનાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી વાત કરી. તો સરકારે નિયમ મુજબ ભોગ બનનારને સહાય આપવી જોઈએ તેમ પણ કહ્યુ હતું.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા 17 જેટલા વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે
આગની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દેશના વડાપ્રધાને પણ આ ઘટના અંગેની નોંધ લઇને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સુરત પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત લઇને તપાસના આદેશ આપ્યા હતા.
Deeply saddened by the news of Surat fire tragedy. Instructed officials to do needful. My prayers are with all those affected. May those who have been injured recover at the earliest. I pray for the departed souls. Om Shanti.
ગુજરાતના સુરત ખાતે આગની ગમખ્વાર દુર્ઘટનામાં જાનહાનિની ઘટનાથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનના સમાચારે હૃદયને હચમચાવી નાખ્યું છે. સદગતના શોકમગ્ન પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવું છું તથા ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે અંતરમન થી પ્રાર્થના
— President of India (@rashtrapatibhvn) May 24, 2019
સુરતમાં બનેલ આગની ઘટનાને પગલે ગુજરાતમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે, આ ઘટના પગલે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના સત્તાવાર એકાઉન્ટ પર ગુજરાતી તથા હિંન્દીમાં ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.