સુરેન્દ્રનગર બાળકીના દફનાવેલા મૃતદેહને બીજા દિવસે બહાર કાઢી આરોપીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અંગે મોકલ્યો
સુરેન્દ્રનગરના થાનગઢમાં બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ
દફનાવેલા મૃતદેહને બહાર કાઢી આરોપીએ આચર્યું દુષ્કર્મ
હ્રદયમાં કાણું હોવાથી બાળકીનું થયું હતું મૃત્યુ
મૃત્યુ બાદ બાળકીને થાનગઢમાં દફનાવવામાં આવી હતી
બાળકીના મૃતદેહને દફનાવ્યાના બીજા દિવસે આરોપીએ આચર્યું દુષ્કર્મ
સુરેન્દ્રનગર પંથકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ એક બાળકીના નિધન બાદ તેના મૃતદેહને દફનાવી દેવાયો હતો. જોકે કોઈ ઇસમે દફનવેલ મૃતદેહને બહાર નિકાળી દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલતાં હડકંપ મચી ગયો છે. જોકે જ્યારે પરિવારના સભ્ય સ્મશાનમાં ચણ નાખવા ગયા ત્યારે કઈ અજુગતું થયાનું લગતા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે મૃતદેહને ફરી દફન કરવાનું સૂચન કર્યું હોવાના આક્ષેપ થયા છે. આ તરફ પરિવારના સભ્યો ફરી એકવાર મહિલાઓને સાથે રાખી સ્મશાને તપાસ કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ થયાનું ખૂલ્યું હતું. જે બાદમાં પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પંથકના એક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીને જન્મથી હ્રદયમાં કાણુ હોઇ તે તકલીફ વધી જતાં ડૉક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં થાનગઢ આરોગ્ય કેન્દ્ર દ્વારા બાળકીની તપાસ કરી તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જે બાદમાં હવે બાળકીના મૃતદેહને વિધિવિધાનથી દફન કરવામાં આવી હતી.
બાળકીના મૃતદેહ સાથે ચેડાં
આ તરફ બાળકીના મૃતદેહને દફનાવ્યાં બાદ મૃતકના પરિજન બીજા દિવસે સ્મશાનમાં ચણ નાખવા ગયા હતા. જોકે ત્યાં બાળકીનો મૃતદેહ બહાર નીકળેલો અને કપડાં નિકાળી દીધા હોવાનું જોઈ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈ તેમને પરિવારને જાણ કરી પોલીસ પાસે પહોંચ્યા હતા. જોકે પરિવારજનોના આક્ષેપ મુજબ થાનગઢ પોલીસે કહ્યું હતું કે, તમે આ પ્રકારની ફરિયાદ આપશો તો આ ઘટનાક્રમ ખૂબ લાંબો થઈ જશે. જેથી તમે જઈ ફરી દફનવિધિ કરી નાખો.
પરિવાર મહિલાઓ સાથે સ્મશાન પહોંચ્યો
આ તરફ પોલીસને મળ્યા બાદ પરિવારના સભ્યો ફરી એકવાર ઘરની મહિલાઓને સાથે રાખી સ્મશાન પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ બાળકીના મૃતદેહને ચેક કરતાં કઈ અજુગતું બન્યાનું લાગ્યું હતું. જેથી ફરી એકવાર પરિવાર મહિલાઓ સાથે પોલીસ મથકે પહોંચતા પોલીસ હરકતમાં આવી હતી. જે બાદમાં પોલીસે સ્મશાનમાં પહોંચી બાળકીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
શું છે પરિવારની માંગ ?
સમગ્ર ઘટનાને લઈ મૃત દીકરીના પરિવાર સહિત પંથકમાં ભારે રોષની લાગણી ઊભી થઈ છે. આ તરફ હવે પરિવારની માંગ છે કે, આ ઘટનામાં પોલીસ સ્થળ પર આવતા સીસીટીવી કેમેરા ચેક કરી આ મામલે કાર્યવાહી કરે. આ સાથે આરોપીઓ સામે ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરે . પરિવારજનોનો આક્ષેપ છે કે, આ ઘટના તો અમે સ્મશાનમાં ગયા ત્યારે ખબર પડી, બાકી આવી તો કેટલીય ઘટના બની હશે તે અંગે પણ તપાસ થવી જોઈએ.