ગુરુવાર રાતથી અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી દૂર પશ્ચિમમાં સંપત્તિને ભારે નુકસાન થયું
નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત
નેપાળના અચ્છમ જિલ્લાના વિવિધ ભાગોમાં ભૂસ્ખલનની ઘટના
ભૂસ્ખલનમાં 17 લોકોના મોત, 6 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ દરમ્યાન શનિવારે નેપાળના અચ્છમ જિલ્લાના વિવિધ ભાગોમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 6 લોકો હજુ પણ ગુમ છે જ્યારે 11 લોકોને બચાવી લેવાયા છે. અહીં રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.
એક અનુસાર દુર્ઘટના અંગે નાયબ મુખ્ય જિલ્લા અધિકારી દિપેશ રિઝાલે જણાવ્યું હતું કે, "ભૂસ્ખલનને કારણે દૂર પશ્ચિમ નેપાળમાં અચ્છમ જિલ્લાના વિવિધ ભાગોમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. 6 લોકો હજુ પણ લાપતા છે." બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
At least 13 dead, 10 missing and 10 rescued from various parts of Achham District in Far West Nepal, due to landslides: Deputy Chief District Officer Dipesh Rijal
In wake of the calamity, Home Minister has ordered to deploy helicopters for search and rescue operation
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાતથી અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી દૂર પશ્ચિમમાં સંપત્તિને ભારે નુકસાન થયું છે. દરમિયાન, પોલીસ પ્રવક્તા ડેન બહાદુર કાર્કીએ જણાવ્યું હતું કે રાજધાની કાઠમંડુથી લગભગ 450 કિમી (281 માઇલ) પશ્ચિમમાં અચ્છમ જિલ્લામાં પાંચ કાદવવાળા મકાનોના કાટમાળમાંથી બચાવ ટીમોએ મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા.