દેશમાં ખાનગી ટ્રેન ચલાવવાની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે. ભારતીય રલવે દ્વારા 15 ખાનગી ટ્રેનને ખાનગી ચલાવવા માટે 100 માર્ગની પસંદગી કરવામાં આવી છે. નાણા મંત્રાલય હેઠળની PPPAC દ્વારા દરખાસ્તની મંજૂરી આપવામાં આવી છે.
રેલવે વિભાગનો ખાનગરી કરવાનો પ્લાન
150 જેટલી ટ્રેનમાં પ્લાન છે તૈયાર
100 માર્ગની રેલવે વિભાગે કરી છે પસંદગી
આ મામલે રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે પ્રતિક્રિયા આપી છે કે, રેલવ વિભાગ દ્વારા ખાનગી ટ્રેનના રૂટની ઓળખ કરવામાં આવી રહી છે.. PPPAC દ્વારા રેલવેના 150 ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવવાની મંજૂરી અપાઈ છે.
15 દિવસની અંદર ટેન્ડર મંગાવાશે
રેલવે વિભાગ દ્વારા આગામી 15 દિવસની અંદર ટેન્ડર મંગાવવામાં આવશે. રેલ વિભાગ દ્વારા ખાનગીના 100 રૂટમાંથીમાંથી 35 નવી દિલ્હી, 26 મુંબઈ, 12 કોલકાતા, 11 ચેન્નાઈ અને આઠ બેંગલુરુ સાથે જોડાશે.
બોલી લગાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે, રેલવે પ્રાઇવેટ ટ્રેનો માટે માર્ગની પસંદગી કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે,'PPPAC એ 150 ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓને બોલીઓ બોલાવવા માટે આમંત્રિત પણ કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
10-15 દિવસની અંદર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રેલવેને પણ વધુને વધુ ફાયદો મળશે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થશે બીજી તેજસ ટ્રેન
ભારતીય રેલવેના ઉપક્રમે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ દેશની બીજી ખાનગી ટ્રેનનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે.
આ ટ્રેનને 17 જાન્યુઆરી 2020 ના રોજ લીલીઝંડી આપવામાં આવશે. આ સાથે જ, ટ્રેન 19 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે વ્યવસાયિક ધોરણે શરૂ થશે. 10 જાન્યુઆરી પછી બુકિંગ શરૂ થશે.