રાજકોટમાં કોંગો ફિવરને લઈ હાહાકાર મચ્યો છે. કોંગો ફિવરના 12 શંકાસ્પદ કેસ જણાતા તપાસ શરૂ કરવામાં આવી છે. હળવદ પોલીમર્સ યુનિટમાં કામ કરતા 15 પર પ્રાંતિયોને કોંગો ફિવરની અસર થતા 3 દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ શંકાસ્પદ જણાતા 12 અસરગ્રસ્તોના લોહીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 29, 2019
નોંધનીય છે કે, શંકાસ્પદ તમામ લોકોના લોહીના નમુના પૃથ્થકરણ માટે પુણે મોકલવામાં આવશે. ત્યારે કોંગો ફિવરની અસરને લઈને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
સુરેન્દ્રનગરના એક જ ગામમાં 2ના મોત. એક સારવાર હેઠળ
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામમાં બે મહિલાના ડેંગ્યુને કારણે શંકાસ્પદ મોત થયાની વિગતો બહાર આવી હતી. જેમાં એક મહિલાનુ ખુબ જ ગંભીર કોંગો બીમારીના કારણે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે 20 ઓગસ્ટે મોત નીપજ્યું હતું.
ત્યારે બીજી મહિલાનું પણ મોત કોંગોને કારણે જ થયાનો મંગળવારે મોડી સાંજે રીપોર્ટ આવ્યો છે. આટલુ જ નહી પરંતુ અન્ય એક મહિલાને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવામાં આવી છે. અમદાવાદ લઇ જવામાં આવ્યા તે મહિલાનો રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યો છે. આમ આ એક જ ગામમાં ત્રણ મહિલાને કોંગો પોઝેટીવ આવી ચુકયા છે. જે પૈકી 2ના મોત થઇ ચુક્યા છે. જયારે એક વૃધ્ધા અમદાવાદ સારવાર હેઠળ છે.
કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર
આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાતો હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી એ રોગના મૂળ વાહક છે. જેથી આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે.
આ ખતરનાક વાયરસ દર્દીને તાવ લાવે છે. આ સાથે માંસ પેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુ:ખાવો થવા લાગે છે અને કેટલાક દર્દીઓને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે અને ગળુ બેસી જાય છે.