ભારત દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઈકનો ડર હજુ પણ પાકિસ્તાનને સતાવી રહ્યો છે. સાથો સાથ પાકિસ્તાનને FATFમાં પણ બ્લેકલિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. ભારતીય સેનાની કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને પી ઓ કેમાં ઘમ ધમી રહેલા આતંકીઓ અડ્ડાઓ બંધ કરવાનું શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાને પી ઓ કેમાં ધમ ધમી રહેલા 11થી પણ વધુ આતંકી અડ્ડાઓ બંધ કરાવ્યા છે. પુલવામા હુમલા બાદ ભારત પણ પાકિસ્તાન પાસે આતંકી અડ્ડાઓ પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર પી ઓ કેના મુઝફ્ફરાબાદમાં પાંચ અને કોટલીમાં પાંચ તથા બરનાલામાં એક આતંકી અડ્ડો સક્રિય હતો.
બીજી તરફ આગામી 16થી 21 મી જૂન સુધી FATFની ઓરલોન્ડોમાં બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવા માટે પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. જેથી પાકિસ્તાન પાસે માત્ર છ જ દિવસો બચ્યા છે. જેથી બ્લેકલિસ્ટ થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, FATFએ પહેલા જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દીધું છે. બંધ કરવામાં આવેલા આતંકી અડ્ડાઓમાં કોટલી અને નિકિયાલમાં સક્રિય લશ્કર એ તૈયબાનો સમાવેશ છે. જે ભારતના સુંદરબની અને રાજૌરી વિસ્તારની સામે જ છે. જ્યારે બાઘ અને પાલા વિસ્તારમાં પણ જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ હતા. તો કોટલીમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી અડ્ડાઓ હતા.