વર્ષોથી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 11 બાંગ્લાદેશીની એસઓજી (SOG) ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ચંડોળા તળાવ પાસે બાંગલાદેશીઓની ધરપકડ
ભારતીય પુરાવા વિના રહેતા 11 બાંગ્લાદેશીઓની ધરપકડ
એસઓજી ક્રાઇમ દ્વારા કરવામાં આવી ધરપકડ
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાંથી દર વર્ષે આશરે 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. આમ છેલ્લા 5 વર્ષમાં જોઇએ તો અમદાવાદમાંથી આશરે 250 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.
ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે લાલઆંખ
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, દેશમાં નાગરિકતા કાયદો અમલી બન્યા બાદ દેશભરમાં ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લાલઆંખ કરી છે ત્યારે આજરોજ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા SOGના DCP ડૉ. હર્ષદ પટેલ અને SP બી.સી.સોલંકી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
બાંગ્લાદેશ ડિપોટ કરવાની કામગીરી હાથ ધરાઇ
જે અંતર્ગત ઓઢવ વિસ્તારમાં આવેલ શ્રમજીવીઓની વસાહતમાંથી 11 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પકડવામાં આવેલા તમામ લોકો પાસે પાસપોર્ટ પણ ન હતા અને તે લોકો અમદાવાદમાં વાંસના સાવરણા– સાવરણી બનાવીને તેમજ છૂટક મજૂરી કામ કરીને વસવાટ કરતા હતા. આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.