વેક્સિનનો 100 કરોડમો ડોઝ લેનાર અરુણ રાય નામના વ્યક્તિને હોસ્પિટલ જઈને પ્રધાનમંત્રી મોદી મળ્યાં હતા અને તેમના અનુભવ જાણ્યાં.
કોરોના વેક્સિનનો 100 કરોડમો ડોઝ લેનાર વ્યક્તિનું નામ અરુણ રાય
પીએમ મોદીએ હોસ્પિટલ જઈને લાભાર્થીઓ, સ્વાસ્થ્યકર્મીઓ સાથે કરી વાત
સ્વાસ્થ્યમંત્રી જસમીત સિંહે કહ્યું કે પ્રધાનમંત્રીએ મારો અનુભવ પૂછ્યો
પીએમ મોદીએ અરુણ રાય સાથે વાત કરી
વેક્સિનનો 100 કરોડમો ડોઝ જ્યારે અરુણ રાયને અપાઈ રહ્યો હતો ત્યારે તે વખતે પીએમ મોદી હાજર હતા. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું આ તેમનો પહેલો ડોઝ છે કે બીજો. જવાબમાં રાયે કહ્યું કે આ તેનો પહેલો ડોઝ છે ત્યારે પીએમ મોદી થોડા નારાજ થયા હતા અને કહ્યું હતું કે તેણે વેક્સિન લેવામાં કેમ આટલું બધુ મોડું કર્યું.
#WATCH Prime Minister Narendra Modi visits vaccination site at Delhi's RML Hospital as India achieves the landmark one billion COVID19 vaccinations mark pic.twitter.com/cncYtediH6
પીએમ મોદીએ આરોગ્યકર્મી સાથે કરી વાત
આરોગ્ય કાર્યકર જસમીત સિંહે કહ્યું કે વડા પ્રધાને તેમને તેમના અનુભવ વિશે પૂછ્યું. સિંહે કહ્યું, "મેં તેમને મારા અનુભવ અને રસીકરણ કેન્દ્રમાં મારી ફરજ વિશે જણાવ્યું હતું. મેં તેમને કહ્યું કે અમે લોકોને કેવી રીતે સમજાવીએ છીએ કે કોવિડ-19 સામેની અમારી લડતમાં રસીકરણ એ એક મહત્વપૂર્ણ સાધન છે.
Prime Minister Narendra Modi gives a thumbs up to healthcare workers at Delhi's RML Hospital today morning as India crosses one billion COVID19 vaccinations pic.twitter.com/3HzhY6oNfX
અન્ય એક આરોગ્ય કાર્યકર (એક નર્સ)એ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રીની અમારી સાથેની મુલાકાત એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
ચોકીદારે કહ્યું અમારુ માન-સન્માન વધાર્યું પીએમ મોદીએ
ગાર્ડે કહ્યું, 'મેં તેમને (પીએમ મોદી) એમ પણ કહ્યું હતું કે તમે એકવાર કહ્યું હતું કે તમે દેશના ચોકીદાર છો. આનાથી અમારુ માન-સન્માન વધ્યું છે. તેમણે મારી પીઠ પણ થપથપાવી. મોદી ઘણીવાર પોતાને 'ચોકીદાર' કહેતા આવ્યા છે જે પોતાને ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટ થવા દેશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતને કોવિડ વિરોધી રસીકરણમાં 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવામાં 279 દિવસ નો સમય લાગ્યો છે.