રવિવાર ભરૂચ માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. ભરૂચમાં ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં અચાનક ભડભડ બસ સળગી ઉઠી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે.
ભરૂચમાં ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં બસ ભડ સળગી ઉઠી, એકનું મોત
અકસ્માત થતા એકાએક બસમાં લાગી આગ
બસમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત
ભરૂચમાં ખાનગી બસ અને ટેન્કર વચ્ચે નેશનલ હાઈવ 48 ઉપર આજે એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અસુરિયા પાસે આ દુર્ઘટના બની હતી જેમાં અકસ્માત બાદ એકાએક બસમાં આગ લાગી હતી જેને પગલે નાસભાગ મચી ગઈ હતી.
આગ લાગતા એક વ્યક્તિનું મોત
ભરૂચમાં ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 અસુરિયા પાસે અકસ્માત થતા બસમાં આગ લાગી હતી. બસામં એકાએક આગ લાગતા
અફરા-તફરીનો માહોલ સર્જાયો. બસમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે.
અધિકારીઓ દોડી આવ્યા ઘટના સ્થળે
આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.