આગામી મહિને એટલે કે 1 જૂલાઇથી ઑનલાઇન ટ્રાન્જેક્શન અને હોમ લોનથી જોડાયેલા નવા નિયમ લાગૂ થશે. આ નવા નિયમો અને બદલાવ પછી દેશના કરોડો ગ્રાહકોની જિંદગી પર તેની અસર થશે
ઑનલાઇન ટ્રાન્જેક્શનમાં બદલાવ:
જો તમે ઑનલાઇન ટ્રાન્જેક્શન કરો છો તો 1 જુલાઇથી તમને મોટી રાહત મળશે. વાસ્તવમાં રિઝર્વ બેંકે સામાન્ય જનતાને આરામ આપતા RTGS અને NEFT ની લેવડદેવડ પર લગાવવામાં આવેલા શુલ્કને દૂર કરી દેવામાં આવ્યો છે.
જેનો મતલબ એમ થાય છે કે, હવે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ ( RTGS) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) ની મદદથી ટ્રાન્જેક્શન કરવાવાળા લોકોને કોઇ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નહી આપવો પડે. આ સિયાવ RBIએ RTGSની મદદથી રૂપિયા મોકલવાનો સમય વધારી 6 વાગ્યા સુધીનો કરી દીધો છે.
હોમ લોનમાં બદલાવ:
જો તમે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહક છે તો 1 જૂલાઇથી હોમ લોનથી જોડાયેલા એક બદલાવ માટે તૈયાર રહો. વાસ્તવમાં SBIના ગ્રાહકોને 1 જૂલાઇથી રેપો રેટથી જોડાયેલા હોમ લોન ઑફર કરવામાં આવશે. જેનો મતલબ એમ થાય છે કે, SBI ની હોમલોનની વ્યાજ દર સંપૂર્ણ રીતે રેપો રેટ આધારિત થઇ જશે. એટલે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા જેટલી વખત રેપો રેટમાં બદલાવ કરશે તો એટલી વખત હોમ લોનના વ્યાજ દરોમાં પણ બદલાવ થશે. હાલમાં RBIએ પોતાની રીતે વ્યાજ દરમાં ઘટાડો કરે છે.
કાર ખરીદવી પડશે મોંઘી:
જો તમે મહિન્દ્રા અથવા તો મારૂતિની કાર ખરીદવા ઇચ્છો છો તો 1 જૂલાઇથી વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. વાસ્તવમાં ઑટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ પોતાના પેસેન્જર વ્હીકલ્સની કિંમતમાં 36000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ જ રીતે મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન કાર ડિઝાયરની કિંમત 12690 રૂપિયાનો વધારો થયો છે.
સ્મોલ સેવિંગ સ્કીમ્સની વ્યાજ દરમાં ઘટાડો:
જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા યોજના અથવા તો નેશનલ સેવિંગ (NPS) હેઠળ રોકાણ કરો છો તો તમને 1 જૂલાઇથી મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો મોદી સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. સરકાર જલ્દીથી આ અંગે નોટિફિકેશન જારી કરી શકે છે. એટલે કે આ ઘટાડો જુલાઇ-સપ્ટેમ્બરની અવધિ માટે 0.30% સુધી થઇ શકે છે.
BSBD એકાઉન્ટના નિયમમાં પણ બદલાવ:
1 જૂલાઇથી બેસિક સેવિંગ બેંક એકાઉન્ટ (BSBD)ને લઇને ઘણા નિયમ બદલાવવા જઇ રહ્યા છે, જેનો મતલબ એવા ખાતાની સાથે છે જે શૂન્ય રાશિની સાથે ખોલવામાં આવે છે. એવામાં બેંક ખાતાધારકો કેશ ડિપોઝિટ ફ્રીમાં થશે. આ સિવાય, ઑનલાઇન બેંકિંગની મદદથી રૂપિયા મોકલવા અથવા માંગવા પર કોઇ પણ પ્રકારનો ચાર્જ નહી લાગે. તો સરકારી સ્કીમના રૂપિયા ચેકથી નીકાળવા ઇચ્છો તો પણ ચાર્જ નહી લાગે. આ સાથે જ સરકારી રકમને ચેકથી ઉપાડ અને જમા પર કોઇ ચાર્જ નહી લાગે.