રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરાશે
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઇ મોટા સમાચાર
ફરી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ થશે શરૂ
આવતીકાલથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ થશે
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરાશે. આવતીકાલથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ ખાતે જ દર્દીઓ માટે ઈન્જેક્શન પ્રાપ્ત થઈ જશે. મહત્વનું છે કે, સ્ટોકના અભાવે ઇન્જેક્શન વેચાણ અટકાવાયું હતું. પરંતુ રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ઝાયડ્સ હોસ્પિટલે નવો નિર્ણય કર્યો છે. મંત્રી મનસુખ માંડવિયાએ પણ સવારે પંકજ પટેલ સાથે વાત કરી હતી.
મહત્વનું છે કે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ગઈકાલે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં આજથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ન આપવાની જાહેરાત કરાઈ હતી. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો હતો. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.
રાજ્યમાં ઈન્જેક્શનની અછત
રેમડેસિવિર ઇન્જેક્શને લઇ વિવાદ શરૂ થઇ ગયો છે. C R પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર વિતરણ મુદ્દે CM રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે C R .પાટીલને પૂછવું જોઈએ. C R પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.
C R પાટીલે પક્ષના અન્ય લોકોને સંપર્કમાં લીધા વિના જ કામ શરૂ કરી દીધુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે કારણ કે, પાટીલની જાહેરાત બાદ સીએમ કંઈક ઔર જ કહે છે. એટલે એ પણ પ્રશ્ન છે કે શું ભાજપમાં જ અંદરો અંદર બે ફાંટા છે?
શું કહે છે C R Patil
C R પાટીલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે સુરતના કેટલાક મિત્રોએ બજાર ભાવે ઇન્જેક્શન ખરીદ્યા હતા. અને ભાજપે પોતાની રીતે પુરક વ્યવસ્થા કરી છે. સરકાર રાજ્યમાં પોતાની રીતે વ્યવસ્થા કરી રહી છે. અમે ઇન્જેક્શનું ભાજપના માધ્યમથી વિતરણ કરી રહ્યાં છીએ. જરૂરિયાત મંદોને ઇન્જેક્શન આપવામાં આવશે.