પીએમ મોદી સાથે ફોન પર વાતચીત થયા બાદ તરત યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને એક નિવેદન આપ્યું.
યુક્રેની રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે ફોન પર કરી વાત
વાતચીત બાદ તરત કર્યું ટ્વિટ
યુદ્ધમાં ભારતે કરેલી મદદ બદલ આભાર માન્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ તેમની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું કે મેં પીએમ મોદીને રશિયાની આક્રમક કાર્યવાહી પર યુક્રેનની પ્રતિક્રિયા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતે યુદ્ધ દરમિયાન ભારતીય નાગરિકોને આપવામાં આવી રહેલી સહાય અને ટોચના સ્તરે સીધી વાતચીત માટે યુક્રેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
Informed Indian PM Modi about Ukraine countering Russian aggression. India appreciates the assistance to its citizens during the war & Ukraine's commitment to direct peaceful dialogue at the highest level. Grateful for the support to the Ukrainian people: Ukrainian Pres Zelensky pic.twitter.com/jbpSs6EuTe
પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે કરી વાત
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ઉભી થયેલી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેના વિવિધ પરિમાણોને ધ્યાનમાં લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી અને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેનની સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેનની સરકાર પાસે સમર્થન માગ્યું હતું.
યુક્રેનના લોકોને કરેલી મદદ માટે આભાર-ઝેલેન્સ્કીએ પીએમ મોદીને કહ્યું
ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેનના લોકોને આપવામાં આવી રહેલી મદદ માટે તેઓ ભારતનો આભારી છે. આ પહેલા સોમવારે એક ફોન કોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, "35 મિનિટની ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ યુક્રેનમાં વિકસતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.
પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે બીજી વાર કરી વાત
યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બીજી વાર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી.પ્રથમ વાતચીત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. વડા પ્રધાન સોમવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરે તેવી અપેક્ષા છે.