બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / yuvraj singh hazel keech blessed with baby boy

બોલિવુડ / યુવરાજસિંહના ઘરે ગુંજી કિલકારી, દિકરાનો જન્મ થયો હોવાની ખુશખબર કરી શેર

Khyati

Last Updated: 10:42 AM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી કિલકારી. પત્ની હેઝલ કીચે બાળકને આપ્યો જન્મ

  • ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ બન્યો પિતા
  • સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
  • હેઝલ કીચે બાળકને આપ્યો જન્મ 

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. યુવરાજની પત્ની હેઝલ કીચે દીકરાને જન્મ આપ્યો છે. યુવરાજે સોશિયલ મીડિયામાં ફેન્સને આ ખુશખબરી આપી હતી. આ સાથે યુવીએ પોતાના ફેન્સને પ્રાઈવસી વિશે એક ખાસ વાત પણ કહી છે.યુવરાજ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં જણાવ્યુ છે કે હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો છે. યુવીએ આ માટે ભગવાનનો આભાર માન્યો છે. આ સાથે તેણે પોતાના ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી છે.

 


વર્ષ 2016માં થયા હતા લગ્ન 

મહત્વનુ છે કે યુવરાજ અને હેઝલ કીચના વર્ષ 2016માં લગ્ન થયા હતા. યુવી અને હેઝલના લગ્નની કહાની ખૂબ જ રસપ્રદ છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે હેઝલ સાથે લગ્ન કરવા માટે ઘણા પાપડ  વણવા પડ્યા  હતા.  તેણે કહ્યું કે હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી.

હેઝલે સોશિયલ મીડિયાથી બનાવી હતી દૂરી

યુવરાજ સિંહ સાથેના લગ્ન દરમિયાન હેઝલ કીચે ગુરબસંત કૌર નામ અપનાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં હેઝલે તેના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો વિશે ખુલ્લેઆમ જણાવ્યું હતું આ તે સમયની વાત છે જ્યારે તે ભારત આવી હતી. માર્ચ 2021માં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો હતો. તેણે લખ્યું, "હું અને મારો ફોન બ્રેક લઇ રહ્યા છીએ.જાણું છું કે તે આ તમારામાંથી ઘણા માટે આઘાતજનક હશે. પરંતુ સારુ છે કે આપણે આપણી જાત સાથે  પસાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ અથવા માનવ પર સંપૂર્ણ.કેટલીકવાર આપણે આપણી જાત સાથે સમય પસાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ પર કે માણસ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું ખોટું છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ