૨૦૧૧ વર્લ્ડકપનાં હીરો રહેલા યુવરાજસિંહે આજે વાત કરવા માટે મુંબઈની એક હોટલમાં મીડિયાને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બાદથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને મનાતું હતું કે નિવૃત્તિ જાહેર કરાશે. આખરે આજે ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.
યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ
૨૦૧૧ વર્લ્ડકપનાં હીરો રહેલા યુવરાજસિંહે આજે વાત કરવા માટે મુંબઈની એક હોટલમાં મીડિયાને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બાદથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને મનાતું હતું કે નિવૃત્તિ જાહેર કરાશે. આખરે આજે ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.
ફ્લિન્ટોફનો ગુસ્સો બ્રોડ પર ઉતાર્યો, માર્યા 6 છક્કા
વાત 2007ની છે, T-20 વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ યોજાઇ હતી. યુવરાજ અને ધોની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ફ્લિન્ટોફ યુવરાજસિંહને છંછેડવા લાગ્યો. વાતવાતમાં બંન્ને વચ્ચે ચર્ચા થઇ ગઇ જેને અમ્પાયરે શાંત કરી હતી. ત્યારબાદ યુવરાજે આ ઘટનાને જવાબ બેટથી આપ્યો હતો. તેણે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 છક્કા લગાવ્યા હતા.
તો વઘુ એક બાબત આપને જણાવી દઇએ કે, મેચમાં યુવરાજ સિંહે માત્ર 12 બોલમાં 50 રન પણ ફટકાર્યા છે. આ ઘટના માત્ર T-20ની જ નહીં પરંતુ ઇંન્ટરનેશનલ ક્રિકેટની સૌથી ઝડપી ફિફ્ટી છે. જુઓ યુવરાજના 6 બોલમાં 6 છક્કાનો આ અદુભૂત VIDEO...