સુરેન્દ્રનગરઃ જોરાવરનગરના યુવકને જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સહીત 3 શખ્સોએ હથિયાર વડે હત્યા કરી નાખી છે. હત્યાના આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધનું મનદુઃખ રાખી યુવકની હત્યા કરાઇ હતી. પરણિતા બબુબેનના પતિ કેતનભાઇ અને તેના મિત્રો મેહુલ પ્રદીપ વસ્તાણી સાથે મળી યુવકની હત્યા કરી હતી. ઘટનાની વિગત કંઇક આવી છે કે જોરાવનગરના લાતી બજારમાં મૃતક યુવક નિલેશ રહેતો હતો.
તે દરમિયાન કેતનભાઇએ નિલેશને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘેર આવ્યા બાદ નિલેશને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રદીપ વસ્તાણી અને કેતનભાઇ મેહુલભાઇએ ઢોર માર માર્યો હતો.
ત્યારબાદ માનવધર્મ આશ્રમ પાસે લઇ જઇ ધોકા પાઇપ લાકડી સહીત તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકના ભાઇ સહીત પરિવારજનોને પ્રદીપ વસ્તાણીએ પોતાની રિવોલ્વરથી ધમકી આપી હતી.