અમદાવાદના ટૂર-ટ્રાવેલ સંચાલકોનો નિર્ણય.વેકસીનના બંને ડોઝ લીધા હશે તો જ પરિવારનું ટૂર બૂકિંગ કરાશે.
ફરવા જવું હશે તો પણ વેક્સીન ફરજિયાત
ટૂર-ટ્રાવેલ ઓપરેટર બૂકિંગવેળા માંગશે સર્ટિ.
સર્ટીફીકેટ જોયા બાદ જ થશે ટૂર બૂકિંગ
સમગ્ર ગુજરાતમાં વેક્સીન અંગે જાગરૂકતા ફેલાવવા અને વેક્સીન પરત્ત્વે નાગરિકોને સભાન બનાવવા અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેર સ્થળો અને AMTS,BRTSમાં મુસાફરી કરતા નાગરીકો માટે વેક્સીન સર્ટીફીકેટ ફરજીયાત બનાવ્યું છે. તો બીજી બાજુ અમદાવાદના ટૂર-ટ્રાવેલ સંચાલકોએ પણ વેકસીનના બંને ડોઝ લેવાયા હશે તેનું જ ટૂર બુકિંગ કરવાનો નિર્ણય લીધો છે.
વેકસીનના બંને ડોઝનું સર્ટીફીકેટ
જો આપ દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો આપે આ સમાચાર જાણવા જરૂરી છે. દીવાળીમાં ફરવા જવું હશે તો હવે તમારે વેકસીનના બંને ડોઝ લેવા જરૂરી રહેશે. કારણ કે અમદાવાદના ટુર ઓપરેટર્સએ પણ વેકસીનેશનના બે ડોઝ લીધા હોય તેવા જ મુસાફરોના બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો પણ આ નિર્ણય સેફટી માટે લેવાયો હોવાનું જણાવી નિર્ણયની સરાહના કરી રહ્યા છે. કોરોનાના કેસ હાલ ઘટ્યા છે છતાં ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઇ રહી છે. પણ કોરોનાને નાથવા વેકસીન એક માત્ર સંજીવની જડીબુટ્ટી સમાન છે. ત્યારે ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્ગે જોવા મળી રહ્યા છે. કારણ કે હવે થી વેકસીનના બે ડોઝ લેનાર ને જ AMTS અને BRTS માં મુસાફરી કરવા મળશે તેવું નક્કી કરાયું છે. ત્યારે હવે ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ ટુર પર જવા માંગતા લોકો માટે વેકસીન ના બંને ડોઝ ફરજીયાત કર્યા છે. વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોની જ પ્રવાસ માટે એન્ટ્રી થશે. જેથી જે લોકો હવે દિવાળી ના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તેઓએ હવે વેકસીન ના બંને ડોઝ લેવા પડશે. આ અંગે ઝીરો કિમિ ટ્રાવેલ્સના ટુર ઓપરેટર આલાપ મોદી જણાવી રહ્યા છે કે હાલમાં તમામ પ્રવાસના સ્થળો પર વેકસીન લીધી હોય તેવા જ લોકોને પ્રવેશ આપી રહ્યા છે. માત્ર ભારત ના ડોમેસ્ટિક પ્રવાસન સ્થળો નહિ પરંતુ દુબઈ, યુરોપ સહિત જે પણ પ્રવાસના સ્થળો છે ત્યાં વેકસીનેશન સર્ટિ. ઉપરાંત RTPCR ટેસ્ટ પણ માંગી રહ્યા છે. જેથી મોટા ભાગના ટુર ઓપરેટર્સ તેમને ત્યાં ઇન્કવાયરી માટે પણ જે લોકો આવે છે તેઓને પહેલાથી જ વેકસીનના બંને ડોઝ લઈ લેવાનું જણાવવામાં આવે છે જેથી કરીને તેઓને જેતે પ્રવાસન સ્થળે પહોંચ્યા પછી કોઈ તકલીફ ન પડે. આ નિયમના અમલથી તમામ પ્રવાસીઓ બેફિકર રહીને પ્રવાસનો આનંદ માણી શકશે. મહત્વનુ છે કે પ્રવાસન સ્થળો હોય જે સરકારી જાહેર સ્થળો જ્યાં વેકસીન સર્ટિ ફિકેટ ફરજીયાત કરાય છે ત્યારે એ આગામી દિવસોમાં હોટેલ્સ- રેસ્ટોરન્ટમાં પણ આ નિયમ લાગુ પડે તેવું આયોજન થાય તો નવાઈ નહિ.
મહાપાલિકાએ પણ કર્યો છે નિર્ણય
ગુજરાતમાં વેક્સીન આપાવાની ગતિવિધિઓ પૂર ઝડપે ચાલી રહી છે.તો ગ્રામ્ય પંથકમાં પણ રાત્રી વેક્સીન કેમ્પ લાગી રહ્યા છે. ખુદ રાજ્ય સરકાર પણ વેક્સીનેશન ઝડપી અને અને તમામ નાગરીકો વેક્સીનયુક્ત બને તે દિશામાં પ્રયત્નશીલ છે.ત્યારે, મહાપાલિકાના નિર્ણય પછી ટૂર-ટ્રાવેલ સંચાલકોનો નિર્ણય માત્ર આવકાર્ય જ નહિ રાજ્યના અન્ય ટ્રાવેલ-ટૂર સંચાલકો માટે પણ પ્રોત્સાહનીય છે