ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે. રાજ્યમાં ફરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં ઓમિક્રોનના પગલે ફરી પ્રતિબંધો
રાત્રે 11 થી સવારે 5 સુધી નાઈટ કર્ફ્યૂ
લગ્નમાં માત્ર 200 લોકોને જ પરવાનગી
ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે night Curfew ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
રાત્રે 11 થી સવારે 5 કર્ફ્યૂ
ઉત્તરપ્રદેશમાં ઓમિક્રોનના કેસ વધે એ પહેલા જ આગોતરા પગલાંના ભાગરૂપે સરકારે પગલાં લીધા છે અને નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે જે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ સવારના 5 વાગ્યા સુધી રહેશે.
UP Govt: Night curfew to be put in place from December 25 from 11 pm-5am . Not more than 200 people allowed in weddings pic.twitter.com/bHs8Ih7urW
આ ઉપરાંત હવેથી યુપીમાં લગ્નોમાં માત્ર 200 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે જેથી વધારે મોટા મેળવડા અને જમાવડા ન થાય અને ઓમિક્રોનના ભાવિ ખતરા સામે રક્ષણ મેળવી શકાય.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમ-09ને આદેશો આપવામાં આવ્યા છે. કોવિડ સામે રક્ષણ મેળવવા માટે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને વેકસીનેશનની નીતિના યોગ્ય અમલીકરણને કારણે રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 01 લાખ 91 હજાર 428 સેમ્પલની તપાસમાં કુલ 49 જ નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ છે.
આઅ સમયગાળામાં, 12 લોકોની સારવાર કરવામાં આવી હતી અને તેઓ કોરોના મુક્ત થયા હતા. આજે રાજ્યમાં કુલ સક્રિય કોવિડ કેસની સંખ્યા 266 છે, જ્યારે 16 લાખ 87 હજાર 657 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે 37 જિલ્લામાં એક પણ કોવિડ દર્દી બાકી નથી. દેશના વિવિધ રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક કડક પગલા ભરવા જરૂરી છે.
મધ્યપ્રદેશમાં પણ omicon નો એક પણ કેસ નહીં છતાં નાઈટ કર્ફ્યૂ
ઉત્તરપ્રદેશ સિવાય મધ્યપ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જો કે ત્યાં પણ એક પણ કેસ હજુ સુધી omicron variant નો નથી નોંધાયો છતાં ત્યાં શિવરાજ સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો. MP માં પણ રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો.