હવે ભારત સાથે દોસ્તી કરી રહ્યું છે ડ્રેગન, BRICS સમિટ માટે ભારત આવી શકે છે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ.
બદલાયા ચીનના સૂર
ભારત સાથે કરી રહ્યું છે દોસ્તીની કોશિશ
BRICS સમિટ માટે ભારત આવી શકે છે જિનપિંગ
ભારત ચીન સીમા પર લગભગ 11 મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. પહેલાં પેંગોંગ ઝીલ અને હવે અન્ય જગ્યાઓએ ડિસઈંગેજમેન્ટના રિપોર્ટની વચ્ચે ચીનના તેવર બદલાયા છે. તેમની વાતોમાં હવે સહયોગ અને માનવતા જેવા શબ્દો આવી રહ્યા છે. સોમવારે ચીને ભારતના બ્રિક્સ સંમેલનનું સમર્થન કર્યું અને કહ્યું કે તે ભારત અને અન્ય સભ્ય દેશોની સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા ઈચ્છે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવી શકે છે ભારતની મુલાકાતે
આવનારા કેટલાક મહિનામાં કોરોના મહામારીની સ્થિતિ કાબૂમાં રહેશે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી શકે છે. જો તેઓ અહીં આવે છે તો પીએમ મોદી સાથે તેમની મુલાકાત શક્ય છે. ચીની વિદેશ મંત્રાલયે સોમવારે એક જાહેરાતમાં કહ્યું કે ચીન બ્રિક્સને ખૂબ જ મહત્વ આપે છે અને તેના માટે રણનીતિ સાઝેદારીને વધારવાના પક્ષમાં છે. ચીને એમ પણ કહ્યું કે તે બ્રિક્સ દેશોની વચ્ચે એકજુટતા અને સહયોગને મજબૂત કરવા ઈચ્છે છે.
સંવાદ અને સહયોગ વધારવા ઈચ્છે છે ચીન
સીમા પર જે સ્થિતિ છે તેની સંમેલન પર અસર પડશે કે નહીં. આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે ભારતના આ વર્ષે બ્રિક્સ સંમેલનનું આયોજનનું ચીને સમર્થન કર્યું છે. ભારત અને અન્ય બ્રિક્સ દેશોની સાથે અનેક ક્ષેત્રોમાં સંવાદ અને સહયોગ વધારવા ઈચ્છે છે. અર્થવ્યવસ્થા, રાજનીતિ અને માનવતાને લઈને પહેલને પણ મજબૂત કરવા ઈચ્છે છે.
બ્રિક્સ દેશોની એકતામાં થયો છે વધારો
વાંગે કહ્યું કે બ્રિક્સ વૈશ્વિક પ્રભાવવાળા નવા બજાર દેશો અને વિકાસશીલ દેશના સહયોગન તંત્ર છે. આ સાથે કેટલાક સમયથી બ્રિક્સ દેશોની એકતતા વધી છે, વ્યવહારિક સહયોગ સુમેળભર્યો થયો છે અને પ્રભાવ પણ વધી રહ્યો છે. હવે આ આંતરરાષ્ટ્રિય બાબતોમાં એક સકારાત્મક, સ્થિર અને રચનાત્મક શક્તિ બન્યું છે.
આ વર્ષે ભારત આયોજિત કરશે સંમેલન
ભારતને આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા મળી છે અને આ સંમેલન તે આયોજિત કરશે. 19 ફેબ્રુઆરીએ વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં બ્રિક્સ 2021ની વેબસાઈટ લોન્ચ કરી હતી.
સંબંધોનો બરફ પિગળવાનું થયું શરૂ
ચીને બ્રિક્સ દેશોના સંમેલનને એવા સમયે કર્યું છે જ્યારે સીમા પર તેમની સેના પગ પાછા લઈ રહી છે. બંને દેશોના સૈન્ય કમાન્ડર્સ પણ કરાર અનુસાર બોર્ડર પર તણાવ પહેલાની સ્થિતિને પરત લાવવાની કોશિશ કરી રહ્યા છે. ચીનના આ પગલાંને ભારત સાવધાની સાથે જોઈ રહ્યું છે. તેની અસર વ્યાપારિક અને રાજનીતિ પર પણ થઈ રહી છે.