દર 24 કલાકમાં 1 નવો દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યો છે. આજે 209 દેશો કોરોના વાયરની ઝપેટમાં છે. વિશ્વમાં 1,356,369 લોકો કોરોનાના કહેરથી પીડિત છે. જ્યારે 75,762 લોકોએ જીવ ગુમાવી દીધો છે. સદ્દનસીબે 290,554 લોકો કોરોના સામે જીતી ગયા છે એટલે કે સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજું પણ 990,053 એક્ટિવ કેસ છે. અમેરિકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અમેરિકામાં 24 કલાકમાં1325 લોકોના મોત નિપજ્યા છે તો 367,650 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે ફ્રાન્સમા 24 કલાકમાં 833 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાને પગલે ગુરુવારે UNSCમાં ચર્ચા થશે. ત્યારે જાણો કયા દેશની શુ સ્થિતિ છે.
વિશ્વમાં કોરોના વાયરસનાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના ભરડામાં અત્યાર સુધી 75 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. કોરોના વાયરસનાં વિશ્વનાં કેટલાય દેશ પીડાઈ રહ્યા છે જ્યારે અમેરિકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઇ રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષમાં (UNSC)માં કોરોના વાયરસને પહોંચી વળવા માટે ગુરુવારે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. UNSCમાં પહેલી વાર કોરોના અંગે ચર્ચા થવા જઈ રહી છે. આ મહામારીને પગલે 74,792 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1,347,844 લોકો કોરોનાગ્રસ્ત છે. અપ્રિલ મહિના માટે પરિષદના અધ્યક્ષ ડોમિનિકન ગણરાજ્યએ કહ્યુ હતું કે તેમણે UNSCના અધિકારમાં આવતા કોરોનાના પ્રભાવના સંબંધમાં ટેલિકોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના સુધી આ અધ્યક્ષતા ચીન પાસે હતી.
અમેરિકામાં 367,650 લાખ લોકો સંક્રમિત
અમેરિકા કોરોના કહેરને લીધે 24 કલાકમાં 1325ના જીવ ગયા છે. જ્યારે 30 820નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં મૃત્યુઆંક 10,943એ પહોંચ્યો છે. તો 367,650 લોકો કોરોના ગ્રસ્ત થયા છે. જ્યારે સાજા થનારી સંખ્યા 19,810 છે. અહીં આજ દીન સુધી 336,897 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે અહીં જાન્યુઆરીમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો. આ આંકડા 9/11 હુમલાથી મરનારા કરતા 3 ગણા છે.
અમેરિકાએ ભારતે ધમકી આપી તો ભારતના પીએમએ રોકડો જવાબ પણ પકડાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારત પાસે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના જથ્થાની મદદની આશા વ્યક્ત કરતા ધમકી આપી દીધી હતી. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે મે પ્રધાનમંત્રી મોદીએ રવિવારે સવારે આ મુદ્દા પર વાત કરી હતી. જો તેઓ દવાનો જથ્થો મોકલવા પગલા ભરે છે તો અમે તેમના આ કામના વખાણ કરીશું. પણ જો તેઓ મદદ નહી કરે તો કોઈ વાંધો નહી, પરંતુ તેઓ તેના ખરાબ પરિણામ માટે તૈયાર રહે એમ પણ કહી દીધુ હતુ. અમેરિકા કોરોનાના કહેરને લીધે બેબાકળુ થઈ ગયું છે. જેને પગલે નરેન્દ્ર મોદીએ પણ રોકડુ પકડાવતા કહ્યું હતું કે અમારા માટે દેશ પહેલા છે. તો પણ બનતી મદદ ચોક્કસથી કરીશું.
બ્રિટનના પીએમ બોરિસ જોનસનને આઈસીયુમાં દાખલ કરાયા
સોમવારે પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદનમાં જણાવ્યુ હતું કે બપોરે તેમની તબિયત ખરાબ થતા સ્વાસ્થ્યકર્મીઓની સલાહથી બોરિસ જોનસનને આઈસીયુમાં દાખલ કરાવામાં આવ્યા છે. જોનસન ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. એ બાદ તેમઓ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. પરંતુ રવિવારે ફરી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની ગર્ભરતી ફિયોન્સે કૈરી સાઈમન્ડ્સને રવિવારે ખુલાસો કર્યો છે. તેનામાં કોરોના લક્ષણો બાદ તે પથારી વશ થઈ ગઈ હતી. હાલ તેની તબિયત સારી છે. નરેન્દ્ર મોદીઓ બોરિસના સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિએ જૉનસનના ઝડપથી સાજા થવાની કામના કરી હતી. મોદી અને ટ્રમ્પે આ અંગે ટ્વીટ પણ કરી હતી.
ચીનમાં પહેલી વાર એક દિવસમાં એક પણ મોત નહીં
એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર પહેલી વાર ચીનમાં એક દિવસમાં એક પણ મોત નોંધાયુ નથી. નવેમ્બર- ડિસમ્બરમાં વુહાનથી ફેલાયેલા આ વાયરસથી વિશ્વમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ચીનમાં 24 કલાકમાં એક પણ મોત નથી.
લીબિયાના પૂર્વ પ્રધાનમંત્રીનું મોત
અલ જજીરા ચેનલના જણાવ્યાનુંસાર લીબિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહમબદ જિબ્રિલની કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જિબ્રિલ 2011માં તાનાશાહ મુઅમ્મર ગદ્દાફીને સત્તા પરથી હટાવીને પ્રધાનમંત્રી બન્યા હતા. તેમની પાર્ટીએ નિવેદન જાહેર કરીને જિબ્રિયાના મોતની પુષ્ટિ કરી હતી. 68 વર્ષીય નેતા 2 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા.